Russia Ukraine War: વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડના પીએમ સાથે વાત કરી, યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ પર કરી ચર્ચા

જણાવી દઈએ કે આ પહેલા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી.

Russia Ukraine War: વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડના પીએમ સાથે વાત કરી, યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ પર કરી ચર્ચા
| Edited By: | Updated on: Mar 08, 2022 | 11:50 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટ્ટે (Mark Rutte) સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રુટ્ટે સાથે યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી. પીએમઓએ કહ્યું કે, ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો. વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું સ્વાગત કર્યું હતું અને વહેલા ઉકેલની આશા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ વડાપ્રધાન રુટ્ટેને સંઘર્ષ વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં પ્રગતિ અને અસરગ્રસ્ત વસ્તી માટે દવાઓ સહિત તાત્કાલિક રાહત પુરવઠાના સ્વરૂપમાં ભારતની સહાય વિશે માહિતી આપી હતી.

જણાવી દઈએ કે આ પહેલા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી અને પૂર્વી યુરોપિયન દેશ પર રશિયાના હુમલા બાદ ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુમીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાના ઉપાયો પર ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને પીએમને તેમના સુરક્ષિત સ્થળાંતર માટે શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. વડાપ્રધાને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે પણ 35 મિનિટ સુધી વાત કરી હતી. આ દરમિયાન, તેમણે ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો માટે ઝેલેન્સકીનો આભાર માન્યો.

યુક્રેનમાં ફસાયેલા 17 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફર્યા

વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન શહેર સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલ્ટાવા શહેર માટે વિદ્યાર્થીઓની બસોમાં સવાર થઈ ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ટ્વીટ કર્યું, આ જાણ કરતાં આનંદ થાય છે કે અમે સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.

તેઓ હાલમાં પોલ્ટાવા શહેરમાં જઈ રહ્યા છે જ્યાંથી તેઓ પશ્ચિમ યુક્રેન માટે ટ્રેનમાં ચડશે. નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલાની શરૂઆતથી ભારતે અત્યાર સુધીમાં પૂર્વી યુરોપિયન દેશમાં ફસાયેલા 17,100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવ્યા છે.

આ પણ વાંચો : Russia Ukraine War: અમેરિકાએ રશિયામાંથી ગેસ અને તેલ પર પ્રતિબંધ મૂક્યો, પ્રમુખ બિડેને કરી જાહેરાત

આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો ભાવનાત્મક સંદેશ- જો દુનિયા આ રીતે દૂર ઊભી રહેશે તો અમે હારી જઈશું

Published On - 11:50 pm, Tue, 8 March 22

Follow Us