
ભારત સાથેના તણાવ વચ્ચે બલુચિસ્તાનમાં લડાઈ વધુ તીવ્ર બની છે. છેલ્લા એક અઠવાડિયામાં, બલૂચ લડવૈયાઓએ 5 થી વધુ સ્થળોએ હુમલા કર્યા છે. બલુચિસ્તાનના મુદ્દાને ઠંડો પાડવા માટે, પાકિસ્તાન સરકારે 150 બલુચ આંદોલનકારીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન સરકારના મતે, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સરકારનો આ નિર્ણય બિનઅસરકારક સાબિત થયો છે.બલૂચ ક્ષેત્રમાં ઉગ્ર બની રહેલા આંદોલન વચ્ચે, ભૂતપૂર્વ ગૃહમંત્રી ફઝલુર રહેમાને સરકારને ચેતવણી આપી છે. ફઝલુર કહે છે કે જો તમે બધા સૈનિકોને સરહદ પર મોકલી દો અને ભારત સાથે યુદ્ધ કરો, તો અંદરની પરિસ્થિતિ કોણ સંભાળશે?

ફઝલુર કહે છે કે સરકાર ખૈબર, ગિલગિટ અને બલુચિસ્તાનમાં આંતરિક સંઘર્ષનો સામનો કરી રહી છે, પરંતુ આ તરફ ધ્યાન આપવાને બદલે, તે સરહદ પર સૈનિકો મોકલવા માંગે છે.