પાકિસ્તાન : ઈમરાન ખાન પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, જાણો કોણ બનશે PTIના નવા બોસ

|

Nov 29, 2023 | 8:04 PM

ઈમરાન ખાને કાયદાકીય મામલાઓને કારણે પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. શેર અફઝલ મારવતની જાહેરાત બાદ પાર્ટીમાં મૂંઝવણ હતી જ્યારે પીટીઆઈએ દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની તેમના પદ પરથી હટવાની કોઈ યોજના નથી.

પાકિસ્તાન : ઈમરાન ખાન પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, જાણો કોણ બનશે PTIના નવા બોસ
Imran Khan

Follow us on

પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે, PTI ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શેર અફઝલ મારવતે સ્પષ્ટ કર્યું છે કે, બેરિસ્ટર ગૌહર ખાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ પદના દાવેદાર હશે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને પોતાની પાર્ટી પીટીઆઈના નેતૃત્વ માટે બેરિસ્ટર ગૌહરને પોતાના ઉત્તરાધીકારી તરીકે પસંદ કર્યા છે.

20 દિવસમાં ચૂંટણી કરાવવી પડશે

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024 ના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને કહ્યું હતું કે, જો પીટીઆઈ પોતાનું ચૂંટણી ચિન્હ ચાલુ રાખવા માંગે છે તો તેઓએ 20 દિવસની સમય મર્યાદામાં પાર્ટીની અંદર ચૂંટણી કરાવવી પડશે.

ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ

પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શેર અફઝલ મારવતે ગઈકાલે એટલે કે મંગળવારે કહ્યું હતું કે, બેરિસ્ટર ગૌહર ખાન પીટીઆઈ પ્રમુખ પદના ઉમેદવાર હશે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને કાયદાકીય મામલાઓને કારણે પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શેર અફઝલ મારવતની જાહેરાત બાદ પાર્ટીમાં મૂંઝવણ હતી જ્યારે પીટીઆઈએ દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની તેમના પદ પરથી હટવાની કોઈ યોજના નથી. પીટીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, તેઓએ પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી અંગેની અટકળોને રદિયો આપ્યો છે.

જાણો કોણ છે બેરિસ્ટર ગૌહર ખાન

બેરિસ્ટર ગૌહર ખાન ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાના રહેવાસી છે અને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના વકીલ છે. તેમણે યુનીવર્સીટી ઓફ વોલ્વર હેમ્પટન, યુકેમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત વોશિંગ્ટન સ્કૂલ ઓફ લો, યુએસએમાંથી એલએલએમની ડીગ્રી મેળવી છે. પીટીઆઈમાં જોડાતા પહેલા તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાન: ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ

બેરિસ્ટર ગૌહર અલી ખાને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર તેમના વતન જિલ્લા બુનેર NA-28 માંથી 2008ની સામાન્ય ચૂંટણી લડી હતી. જો કે, તેઓ તે ચૂંટણી લગભગ 2000 મતોથી હારી ગયા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article