ઈમરાન ખાને કહ્યું ‘જો હું જેલમાં જઈશ તો મને મારી નાખવામાં આવશે, કોર્ટ સંકુલમાં 20 લોકો પણ હાજર હતા’

|

Mar 20, 2023 | 8:52 PM

Imran Khan Pakistan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે કોર્ટ સંકુલમાં તેને મારવા માટે 20 લોકોને રાખવામાં આવ્યા હતા.

ઈમરાન ખાને કહ્યું જો હું જેલમાં જઈશ તો મને મારી નાખવામાં આવશે, કોર્ટ સંકુલમાં 20 લોકો પણ હાજર હતા

Follow us on

Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની હત્યાનો સંપૂર્ણ પ્લાન તૈયાર હતો. કોર્ટ સંકુલમાં તેને મારવા માટે 20 લોકો તૈનાત હતા. ખુદ ઈમરાન ખાને આજે પોતાના સંબોધનમાં આ દાવો કર્યો છે. તેણે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને અપીલ કરી કે તે તમામ લોકો સામે કાયદાકીય તપાસ કરવામાં આવે. આ પહેલા પણ ઈમરાને દાવો કર્યો હતો કે તે કોર્ટ સંકુલમાં તેની કારમાંથી નીચે ઉતર્યો ન હતો, કારણ કે હત્યારા તેની હત્યા કરવા માટે ત્યાં તૈનાત હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન શનિવારે લાહોરમાં પોતાના ઘરેથી ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવા માટે ગયા હતા, જ્યાં પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન ઈમરાન ખાન પોતાની કારમાં બેઠેલા રહ્યા અને તેમની સામે પીટીઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે લાઠી લડાઈ થઈ હતી. ઈમરાન ખાને કહ્યું કે આ અથડામણની આડમાં તેને મારી નાખવાની યોજના બનાવવામાં આવી હતી.

CJIએ 20 લોકો સામે કાયદાકીય તપાસ કરવી જોઈએ

પૂર્વ પીએમ ઈમરાને કહ્યું કે કોર્ટ સંકુલમાં 20 લોકો હતા અને ચીફ જસ્ટિસે આ મામલે કાયદાકીય તપાસ કરાવવી જોઈએ. ઈમરાન ખાન વિરુદ્ધ 97 કેસ નોંધાયેલા છે અને તેઓ ધરપકડથી બચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેને લાહોર હાઈકોર્ટ અને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી અલગ-અલગ કેસોમાં રાહત પણ મળી હતી, પરંતુ તારીખે હાજર ન થવાને કારણે ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આ માટે તેને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું, જ્યાં તે 18 માર્ચ શનિવારના રોજ પહોંચ્યો હતો. અગાઉ તેમના કાફલાની કાર પણ અથડાઈ હતી અને સુરક્ષાની ચિંતા વધી ગઈ હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ લોકો જેલમાં જઈશ તો મારી નાખશે

હવે ઈમરાન ખાને ચીફ જસ્ટિસને અપીલ કરી છે કે તેમના કેસની સુનાવણી વીડિયો લિંક દ્વારા કરવામાં આવે. તેમણે CJIને આંખો ખોલવા કહ્યું અને દેશની સ્થિતિ જોવાની અપીલ કરી. ઈમરાન ખાન પર ભૂતકાળમાં પણ જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. પાર્ટીની રેલી દરમિયાન તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેમને પગમાં પણ ગોળી વાગી હતી. ઈમરાનને ડર હતો કે જો તે જેલમાં જશે તો તેની હત્યા થઈ જશે.

(ઇનપુટ-ભાષાંતર)

Next Article