Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું

|

Sep 17, 2023 | 11:47 PM

અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું
Pakistan News

Follow us on

Pakistan News : પ્રેમ માટે સરહદ પાર કરનાર અંજુ આવતા મહિને પાકિસ્તાનથી (Pakistan) ભારત પરત ફરશે. આ દાવો અંજુના પતિ નસરુલ્લાએ કર્યો છે. તેણે કહ્યું કે અંજુ આવતા મહિને અંજુ ભારત જશે. તે માનસિક રીતે ઠીક ન હોવાને કારણે તે પરેશાન છે અને તેના બે બાળકોને બહુ જ મિસ કરી રહી છે. રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. અંજુની નવી ઓળખ ફાતિમાના રૂપમાં છે. તેણે 25 જુલાઈએ તેના 29 વર્ષીય બોયફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. નસરુલ્લાનું ઘર ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લામાં છે. બંને 2019માં ફેસબુક પર મિત્રો બન્યા હતા.

આ પણ વાંચો  Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી

મીડિયા રિપોર્ટ અનુસાર, નસરુલ્લાએ કહ્યું કે છે કે ફાતિમા (અંજુ) આવતા મહિને ભારત પરત ફરી રહી છે. નસરુલ્લાએ કહ્યું કે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના બાળકોને ખૂબ જ યાદ કરી રહી છે અને તેમની પાસે જવા માંગે છે. તમને જણાવી દઈએ કે અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

નસરુલ્લાએ કહ્યું કે તેમાં થોડો સમય લાગશે અને તેથી અંજુ આવતા મહિને ભારત જશે. જો નસરુલ્લાને વિઝા મળશે તો તે પણ ભારત આવશે. અંજુ અને નસરુલ્લા ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં તેમના લગ્ન પછી પહેલીવાર પેશાવર ગયા હતા. તેણે પેશાવરમાં દિવંગત દિલીપ કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ ભારતીય ફિલ્મ કલાકારોના પૈતૃક ઘરો જોયા હતા. અંજુએ કહ્યું કે મેં કેટલાક પશ્તો શબ્દો શીખ્યા છે. પાકિસ્તાન આવતા પહેલા મને ખબર નહોતી કે હું અહીં આટલી પ્રખ્યાત થઈ જઈશ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article