Pakistan: અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવીને ઈમરાન ખાને રમી ‘રમત’, જોકે ગુમાવ્યું પીએમ પદ, 10 મુદ્દામાં સમજો અત્યાર સુધી શું થયું

|

Apr 04, 2022 | 9:05 AM

એક સમયે એવું લાગતું હતું કે વડા પ્રધાન ઈમરાન ખાન સત્તા પરથી હટાવવા જઈ રહ્યા છે, પરંતુ પછી બધું બદલાઈ ગયું.

Pakistan: અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવીને ઈમરાન ખાને રમી રમત, જોકે ગુમાવ્યું પીએમ પદ, 10 મુદ્દામાં સમજો અત્યાર સુધી શું થયું
Pakistan Former PM Imran Khan (File)

Follow us on

Pakistan: રવિવારે પાકિસ્તાન(Pakistan)ના રાજકારણમાં ઘણું બધું જોવા મળ્યું. એક સમયે એવું લાગતું હતું કે વડા પ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) સત્તા પરથી હટાવવા જઈ રહ્યા છે, પરંતુ પછી બધું બદલાઈ ગયું. સંસદના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી(Deputy Speaker Qasim Khan Suri)એ વિદેશી ષડયંત્રનો આરોપ લગાવતા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. બાદમાં રાષ્ટ્રપતિએ ઈમરાન ખાનની ભલામણ સ્વીકારી લીધી અને નેશનલ એસેમ્બલી ભંગ કરી દેવામાં આવી. નેશનલ એસેમ્બલી ભંગ થયા બાદ વડાપ્રધાન ઈમરાન ખાને દેશને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાનમાં વિદેશી ષડયંત્ર સફળ નહીં થઈ શકે. આ કેસમાં અત્યાર સુધી શું થયું છે તેના પર એક નજર કરીએ.

  1. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં રવિવારે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની સુનાવણી શરૂ થતાં જ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ વિદેશી ષડયંત્રનો આરોપ લગાવતા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને સત્રને સ્થગિત કરી દીધું હતું. 
  2. ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યા બાદ વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો અને સાથે જ ગૃહમાં હંગામો મચાવ્યો. વિપક્ષે સુપ્રીમ કોર્ટને સંવિધાન બચાવવા વિનંતી કરી હતી. વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઈમરાનને સંસદ ભંગ કરવાનો અધિકાર નથી.
  3. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ભલામણને સ્વીકારીને રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી. નેશનલ એસેમ્બલીનું વિસર્જન થતાં જ હવે દેશમાં 90 દિવસમાં ચૂંટણી યોજાશે.
  4. અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવ્યા બાદ અને સંસદ ભંગ કરવામાં આવી હતી, વિપક્ષી પાર્ટીઓએ એક થઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સંસદની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. થોડા સમય બાદ સુપ્રીમ કોર્ટે વિપક્ષની અરજી સ્વીકારી લીધી હતી. આ પછી પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.
  5. ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
    Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
    શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
    નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
  6. વિપક્ષની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી હતી. આ સાથે જ ઈમરાન ખાને પોતાની પાર્ટીને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું હતું.
  7. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય આવ્યા બાદ વિપક્ષે અયાઝ સાદિકને સ્પીકરની ખુરશી પર બેસાડ્યા હતા. અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવ્યા બાદ વિપક્ષના નેતાઓએ આ દરમિયાન સંસદમાં ધામા નાખ્યા હતા. આ દરમિયાન ઘરમાં અંધારપટ છવાઈ ગયો હતો. પાકિસ્તાની સંસદની વીજળી કાપી નાખવામાં આવી હતી.
  8. સોશિયલ મીડિયા પર વિપક્ષે સર્વોચ્ચ અદાલતને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી અને ગૃહમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીના વિસર્જનને પડકારવાના તેમના પક્ષના નિર્ણયની જાહેરાત કરી હતી.
  9. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રવિવારે તમામ સરકારી સંસ્થાઓને નેશનલ એસેમ્બલીમાં વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ અને ખાનની ભલામણ પર ગૃહને વિસર્જન કરવાની મંજૂરી આપ્યા બાદ તમામ સરકારી સંસ્થાઓને કોઈપણ “ગેરબંધારણીય” પગલા લેવાથી દૂર રહેવા કહ્યું હતું.
  10. પાકિસ્તાનમાં એક દિવસના રાજકીય ઉથલપાથલ બાદ રવિવારે સાંજે ઈમરાન માટે ખરાબ સમાચાર આવ્યા હતા.રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલી ભંગ કર્યા બાદ ઈમરાન ખાનને રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
  11. પાકિસ્તાનના એટર્ની જનરલ ખાલિદ જાવેદ અને ડેપ્યુટી એટર્ની જનરલ રાજા ખાલિદ મહમૂદ ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પરના નિર્ણયના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું. ડેપ્યુટી એટર્ની જનરલ રાજા ખાલિદ મહમૂદ ખાને કહ્યું છે કે પીએમ ઈમરાન ખાન પર રાજદ્રોહના આરોપોનો સામનો કરવો પડી શકે છે.

 

આ પણ વાંચો-Pakistan : આખરે ઈમરાન ખાનને વડાપ્રધાનના પદ પરથી હટાવાયા, કેબિનેટ સચિવાલયે જાહેરનામું બહાર પાડ્યું

Next Article