પાકિસ્તાનને અમેરિકી મદદ પર જયશંકર કહે છે, ‘કોઈને મૂર્ખ બનાવી શકાતા નથી’

|

Sep 26, 2022 | 12:29 PM

વિદેશ મંત્રી એફ-16 ફાઈટર(F-16 Fighter) જેટની જાળવણી માટે અમેરિકા(US-Pakistan) દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા 450 મિલિયન ડોલરની વાત કરી રહ્યા હતા.

પાકિસ્તાનને અમેરિકી મદદ પર જયશંકર કહે છે, કોઈને મૂર્ખ બનાવી શકાતા નથી
'No one can be fooled', says Jaishankar on US aid to Pakistan

Follow us on

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister of India S Jaishankar)અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી મદદ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકાના પાકિસ્તાન(US Pakistan) સાથે સંબંધોથી કોઈ દેશને ફાયદો થયો નથી. વાસ્તવમાં, વિદેશ મંત્રી અમેરિકા તરફથી એફ-16 ફાઈટર પ્લેન(F-16 Fighter Plane)ની જાળવણી માટે પાકિસ્તાનને આપવામાં આવેલા 450 મિલિયન ડોલરની વાત કરી રહ્યા હતા. વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવેલી આવી મદદ બધા જાણે છે કે તેનો ઉપયોગ કોની વિરુદ્ધ થાય છે.

ભારતીય-અમેરિકનો સાથેની વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે, “સાચું કહું તો, આ સંબંધથી ન તો પાકિસ્તાનને ફાયદો થયો છે અને ન તો તેનાથી અમેરિકાના હિતમાં કોઈ ફાયદો થયો છે, તેથી હવે અમેરિકાએ ખરેખર વિચારવું જોઈએ કે આ સંબંધનો ફાયદો શું છે અને તેઓ તેનાથી શું મેળવે છે.

અમેરિકાએ દલીલ કરી હતી કે આતંકવાદનો સામનો કરવા માટે F-16ની જાળવણી માટે પેકેજને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાની દલીલનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, બધા જાણે છે કે એફ-16નો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ થાય છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તમે આવી વાતો કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જૂના નિયમો તોડ્યા, લશ્કરી સહાય આપી

યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે 8 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનને F-16 ફાઇટર જેટ માટે $450 મિલિયનની સહાય મંજૂર કરી હતી, જે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના ભૂતપૂર્વ વહીવટીતંત્રના પાકિસ્તાનને સૈન્ય સહાય અટકાવવાના નિર્ણયને ઉલટાવી હતી.

ભારતે અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી

યુએસ સંસદને આપેલી સૂચનામાં, વિદેશ વિભાગે કહ્યું કે તેણે F-16 ફાઇટર જેટની જાળવણી માટે પાકિસ્તાનને સંભવિત વિદેશી સૈન્ય વેચાણ (FMS)ને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે દલીલ કરી હતી કે આનાથી ઈસ્લામાબાદને વર્તમાન અને ભવિષ્યમાં આતંકવાદના જોખમોનો સામનો કરવાની ક્ષમતા જાળવી રાખવામાં મદદ મળશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન સાથેની વાતચીતમાં પાકિસ્તાનના F-16 ફાઈટર એરક્રાફ્ટ ફ્લીટના મેઈન્ટેનન્સ માટે પેકેજ આપવાના અમેરિકાના નિર્ણય પર ભારત વતી ચિંતા વ્યક્ત કરી હતી.

Next Article