પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના મોટાભાગના નેતાઓ અને કાર્યકરોને શનિવારે મુક્ત કરવામાં આવ્યા હતા. લાહોર હાઈકોર્ટના આદેશ બાદ આ નેતાઓ અને કાર્યકરોને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુક્ત કરવામાં આવ્યા હતા. સંઘીય સરકારની નિષ્ફળતા સામે સામૂહિક ધરપકડ આંદોલનમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાચો: કાશ્મીરમાં તમારી મિલકત વેચીને આતંક ફેલાવો, પાકિસ્તાનની નવી નાપાક ચાલ
પાર્ટીની જેલ ભરો તેહરીક માટે ગયા મહિને 600થી વધુ પીટીઆઈ નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આ આંદોલન દેશમાં મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન, બંધારણના દુરુપયોગ અને આર્થિક દુર્દશા વિરુદ્ધ હતું. ઈમરાન ખાને પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓને જેલ ભરો આંદોલન કરવા આદેશ કર્યો હતો, જે બાદ શહેબાઝ સરકારે લાહોરમાં ગયા મહિનામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
પીટીઆઈના ઉપાધ્યક્ષ અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી, પૂર્વ નાણા મંત્રી અસદ ઉમર, પંજાબના પૂર્વ ગવર્નર ઉમર સરફરાઝ ચીમા, સેનેટર આઝમ સ્વાતિ અને વાલીદ ઈકબાલ જેલમાંથી મુક્ત થયેલા અગ્રણી નેતાઓમાં સામેલ હતા. શુક્રવારે પીટીઆઈની અરજી પર લાહોર હાઈકોર્ટે પાર્ટીના નેતાઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
આ પહેલા મંગળવારે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી હતી, જેમાં કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. આ પહેલા મંગળવારે જ ઈસ્લામાબાદની સેશન્સ કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું, ત્યાર બાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઇસ્લામાબાદની સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ઝફર ઇકબાલે આ કેસની અગાઉ સુનાવણી કરી હતી અને ચુકાદો સંભળાવતી વખતે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.
આ પછી ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતા જામીન માટે અરજી કરી હતી. આ અંગે ચુકાદો આપતા હાઈકોર્ટે ઈમરાન ખાનને વચગાળાના જામીન આપ્યા હતા. આ સિવાય ઈમરાન ખાનને મંગળવારે હાજર થયા બાદ આતંકવાદ વિરોધી અદાલત (ATC) અને બેંકિંગ કોર્ટ દ્વારા પણ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. તેને આ જામીન તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા પ્રતિબંધિત પૈસા અને આતંકવાદના કેસમાં મળ્યા છે.