કોરોનાના કારણે 14 મહિનાથી આઇસોલેટ છે આ વ્યક્તિ, 78 વાર રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જાણો શું છે કારણ

|

Feb 13, 2022 | 5:50 PM

લોકોને એક વાર કોરોના થાય છે અને તેઓ હેરાન થઇ જાય છે પરંતુ જરા એ વ્યક્તિ વિશે વિચારો જે 14 મહિનાથી કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ છે.

કોરોનાના કારણે 14 મહિનાથી આઇસોલેટ છે આ વ્યક્તિ, 78 વાર રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જાણો શું છે કારણ
Leukemia patient Muzaffer Kayasan's Covid-19 tests has been positive for 78 times

Follow us on

વર્ષ 2020 માં, જ્યારથી કોરોનાએ (Corona Virus) દસ્તક આપી છે, ત્યારથી લોકોના ચહેરાનો રંગ ઉડી ગયો છે. દરેકને ડર છે કે તેઓ આ રોગની પકડમાં ન આવી જાય, તેવામાં ફક્ત એવા વ્યક્તિ વિશે કલ્પના કરો કે જે આ વાયરસને કારણે છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં આઈસોલેટ છે. હા, તમે બરાબર વાંચ્યું છે, અમે જેની વાત કરી રહ્યા છીએ તે નવેમ્બર 2020 ના મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ 78 થી વધુ વખત પોઝિટિવ આવ્યો છે. આ જ કારણ છે કે તે છેલ્લા 14 મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. અમે વાત કરી રહ્યા છીએ મુઝફ્ફર કાયાસનની (Muzaffer Kayasan) જે છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં છે અને દરરોજ રાહ જોતા હોય છે કે તે ક્યારે ઘરે જશે.

વર્ષ 2020 ના નવેમ્બર મહિનામાં પ્રથમ વખત, કોવિડ -19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. થોડા દિવસો પછી, તે સ્વસ્થ થઈ ગયો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ન હતો. વર્ષ 2020 ના નવેમ્બર મહિનાથી લઈને આજ સુધીમાં તેણે 78 વખત તેનો ટેસ્ટ કરાવ્યો છે, પરંતુ અત્યાર સુધી તેનો રિપોર્ટ પોઝિટિવ જ આવ્યો છે. જેના કારણે કાયાસનને આઇસોલેશનમાં રાખવામાં આવે છે.

આવી સ્થિતિમાં તેમનું સામાજિક જીવન સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. તમે તેમની મુશ્કેલીનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે ન તો તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવી શકે છે અને ન તો તેઓ તેમના મિત્રોને મળી શકે છે. મુઝફ્ફર કાયાસન દરરોજ બસ બારીમાંથી તેના પરિવાર સાથે થોડી વાતચીત કરે છે. તેમનું સૌથી મોટું દુ:ખ એ છે કે તેઓ ક્વોરેન્ટાઈનમાં હોય ત્યારે તેમના પ્રિયજનોને સ્પર્શ કરી શકતા નથી અને જ્યાં સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેઓ રસી પણ મેળવી શકતા નથી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુઝફ્ફર કાયાસન લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરના એક પ્રકારથી પીડિત છે. આ બીમારીને કારણે તેના શરીરમાં શ્વેત રક્તકણોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ કારણથી કાયાસનના લોહીમાંથી કોરોના વાયરસ ખતમ થઈ રહ્યો નથી.

જો કે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને દવાઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને લાંબી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુઝફ્ફર કાયાસન આ પ્રકારનો પહેલો કેસ છે, જેમાં દર્દી આટલા લાંબા સમયથી કોરોના પોઝિટિવ છે.

 

આ પણ વાંચો –

Corona Vaccine: રાજ્યો પાસે 12.37 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ, અત્યાર સુધીમાં કુલ 170.95 કરોડ ડોઝ અપાયા

આ પણ વાંચો –

Corona Update: દેશમાં કોરોના હાંફ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,877 નવા કેસ તો 684 લોકોએ જીવ ગુમાવ્યા

Next Article