ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. આ બેઠક ઘણી રીતે ખાસ છે. અમેરિકા સતત ભારતને નિજ્જર હત્યાકાંડમાં સહયોગ કરવાની વાત રહ્યું છે. જયશંકરની મુલાકાત પહેલા જ અમેરિકાએ નિજ્જર હત્યા કેસની તપાસમાં સહયોગનો પુનરોચ્ચાર કર્યો હતો.
અમેરિકાએ ભારતને ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને ગંભીરતાથી લેવાની સલાહ આપી છે. ગુરુવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જયશંકર-બ્લિન્કેન મીટિંગમાં કેનેડાના એજન્ડા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે યુએસએ ભારતને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે. બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક પહેલા કહ્યું કે અમેરિકાએ તેમને આશ્વાસન આપ્યું છે કે એન્ટની બ્લિંકન નિજ્જર હત્યા કેસ પર જયશંકર સાથે વાત કરશે.
Great to meet my friend US Secretary of State @SecBlinken at State Department today.
A wide ranging discussion, following up on PM @narendramodi’s June visit. Also exchanged notes on global developments.
Laid the groundwork of our 2+2 meeting very soon. pic.twitter.com/mOw9SIX1dO
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 28, 2023
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે બહુ જલદી 2+2 બેઠક થશે. બેઠકની સાથે જ તેમણે G20 સમિટમાં સહયોગ માટે આભાર માન્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો