ઇરાકી ધારાશાસ્ત્રીઓએ ગુરુવારે એક ખરડો પસાર કર્યો હતો. જેમાં ઇઝરાયેલ (Israel) સાથે વેપાર સંબંધો સહિત કોઈપણ સંબંધોને સામાન્ય બનાવવા માટે ગુનો જાહેર કર્યો હતો. આ મુજબ કાયદાનું ઉલ્લંઘન કરવા પર મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ છે. ઈરાકના 329 સભ્યોના ગૃહ (Iraq Parliament)માં 275 ધારાશાસ્ત્રીઓએ તેની તરફેણમાં મતદાન કરીને કાયદાને મંજૂરી આપી છે. સંસદના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાયદો લોકોની ઇચ્છાનું સાચું પ્રતિબિંબ છે. પ્રભાવશાળી શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રે ઇરાકીઓને આ મહાન સિદ્ધિની ઉજવણી કરવા માટે શેરીઓમાં આવવા હાકલ કરી છે.
આ પછી સેંકડો લોકો સેન્ટ્રલ બગદાદમાં એકઠા થયા અને ઈઝરાયલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ગયા વર્ષે ઇરાકની સંસદીય ચૂંટણીમાં મુક્તદા અલ-સદ્રની પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી હતી. તે અસ્પષ્ટ છે કે કાયદો કેવી રીતે અમલમાં આવશે. કારણ કે ઇરાકે હજુ સુધી ઇઝરાયેલને માન્યતા આપી નથી, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. ઈરાકે ક્યારેય ઈઝરાયેલને માન્યતા આપી નથી અને ઈરાકી નાગરિકો અને કંપનીઓ ઈઝરાયેલ જઈ શકતા નથી. આ બંને દેશો વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નથી. જો કે, આ નવા બિલે તે કંપનીઓ માટે મુશ્કેલી ઊભી કરી છે, જેઓ ઈરાકમાં કાર્યરત છે.
નવો કાયદો બધાને લાગુ પડશે
ઇરાકની ન્યૂઝ એજન્સી INA અનુસાર, આ કાયદો ઇરાકના તમામ નાગરિકો, સરકાર અને સ્વતંત્ર સંસ્થાઓ અને દેશમાં રહેતા વિદેશીઓ પર પણ લાગુ થશે. આ કાયદો પ્રભાવશાળી ધાર્મિક નેતા મુક્તદા અલ-સદ્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેઓ અમેરિકા અને ઈઝરાયેલ સાથે ગાઢ સંબંધોનો વિરોધ કરે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીએ વધુ બેઠકો જીતી હતી. બિલ પસાર થવાને “મોટી સિદ્ધિ” તરીકે વર્ણવતા, મૌલવીએ ઇરાકીઓને શેરીઓમાં ઉતરીને ઉજવણી કરવા કહ્યું.
બિલ પસાર થયા બાદ સેંકડો લોકો મધ્ય બગદાદમાં એકઠા થયા હતા અને ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. અલ-સદ્રના ટ્વીટ બાદ લોકો અહીં તહરિર સ્ક્વેર પર આવ્યા હતા. અલ-સદ્રની પાર્ટીના ધારાશાસ્ત્રીઓએ કહ્યું છે કે તેઓએ ઈરાન દ્વારા સમર્થિત હરીફ પક્ષોના દાવાઓને રોકવા માટે કાયદો રજૂ કર્યો છે. ગયા વર્ષની શરૂઆતમાં ઈરાને ઈરબિલની ઉત્તરે ડઝનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. આ સ્થળ ઈરાકના ઉત્તરમાં આવેલું છે, જે કુર્દ દ્વારા નિયંત્રિત છે. આ મિસાઈલ હુમલામાં ઓઈલ કંપની KAR ગ્રુપના સીઈઓ બાઝ કરીમના ઘરને પણ નુકસાન થયું છે.
Published On - 6:12 pm, Fri, 27 May 22