ચીનમાં 21 માળના એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં 10ના મોત, 9 ઘાયલ

|

Nov 25, 2022 | 10:41 AM

china news : શિનજિયાંગની રાજધાની ઉરુમકી સ્થિત 21 માળના એપાર્ટમેન્ટમાં ગુરુવારે આગ લાગી હતી. આગ ઓલવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

ચીનમાં 21 માળના એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં 10ના મોત, 9 ઘાયલ
ચીનમાં એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ
Image Credit source: PTI File

Follow us on

ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અન્ય 9 લોકો ઘાયલ થયા છે. શિનજિયાંગની રાજધાની ઉરુમકી સ્થિત 21 માળના એપાર્ટમેન્ટમાં ગુરુવારે આગ લાગી હતી. આગ ઓલવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. સ્થાનિક સરકારે જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ કોઈપણ વ્યક્તિના જીવને કોઈ ખતરો નથી અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આના થોડા દિવસો પહેલા મધ્ય ચીનમાં એક વાણિજ્ય અને વેપાર કંપનીમાં લાગેલી આગમાં 38 લોકોના મોત થયા હતા. આ કેસમાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. વૃદ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નબળા સુરક્ષા વ્યવસ્થાપન અને કેટલાક કિસ્સાઓમાં સરકાર દ્વારા ભ્રષ્ટાચારને કારણે ચીનમાં બિલ્ડિંગમાં આગ લાગવી સામાન્ય બની ગઈ છે.

બીજી તરફ ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને જોતા લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. ઝોંગઝોઉના આઠ જિલ્લાઓની કુલ વસ્તી લગભગ 66 લાખ છે અને ત્યાંના લોકોને ગુરુવારથી પાંચ દિવસ સુધી તેમના ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. શહેર સરકારે ચેપનો સામનો કરવા માટેની કાર્યવાહીના ભાગરૂપે ત્યાં વ્યાપક તપાસનો આદેશ આપ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે

ચીનમાં દરરોજ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ અઠવાડિયે, છ મહિના પછી, ચેપને કારણે મૃત્યુનો કેસ પણ સામે આવ્યો. દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,232 લોકોના મોત થયા છે. યુએસ અને અન્ય દેશોની તુલનામાં, ચીનમાં ચેપને કારણે મૃત્યુના ઓછા કેસ નોંધાયા છે, પરંતુ તેમ છતાં દેશની શાસક કમ્યુનિસ્ટ પાર્ટીએ વાયરસને લઈને કોઈ ઢીલ નહીં રાખવાની નીતિ અપનાવી છે, જેના હેઠળ વિસ્તારોમાં કેસોની સંખ્યા વધી રહી છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.

લોકો પર કડક પ્રતિબંધો

ઝોંગઝોઉના બૈયુન જિલ્લામાં સોમવારે જ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી વ્યાપક તપાસ ન થાય ત્યાં સુધી લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, બેઇજિંગમાં આ અઠવાડિયે, એક પ્રદર્શન કેન્દ્રમાં એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી હતી અને બેઇજિંગ ઇન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટીમાં હિલચાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાં ચેપનો એક કેસ સામે આવ્યો હતો. આ પહેલા રાજધાનીમાં શોપિંગ મોલ અને અન્ય ઓફિસો પણ બંધ રાખવામાં આવી હતી.

Published On - 10:40 am, Fri, 25 November 22

Next Article