India Canada Tension: કેનેડાએ અપડેટ કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ફરી આપી આ સલાહ

|

Sep 26, 2023 | 6:48 AM

કેનેડા સરકારનો આ નિર્ણય ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જાહેર કર્યા અને ગયા સપ્તાહના અંતમાં વિઝા સેવાઓ પર પ્રતિબંધ મૂક્યા પછી આવ્યો છે. જસ્ટિન ટ્રુડોએ આ હત્યા પાછળ ભારતીય જાસૂસોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો.

India Canada Tension: કેનેડાએ અપડેટ કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ફરી આપી આ સલાહ

Follow us on

India Canada Tension: કેનેડા અને ભારત વચ્ચેનો વિવાદ અત્યારે અટકે તેમ લાગતું નથી. કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. આમાં કેનેડાએ તેમને હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે.

આ પણ વાંચો: વિનાશકાળે વિપરીત બુદ્ધિ, ખાલિસ્તાનીઓ બાદ હવે નાઝીઓના સન્માન પર ઘેરાયા જસ્ટિન ટ્રુડો, સ્પીકરને માંગવી પડી યહૂદીઓ પાસે માફી

મહત્વનું છે, ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી. આ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યા પાછળ ભારતીય જાસૂસોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

નિજ્જરને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે ભારતે વર્ષ 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. જો કે કેનેડાના ભારત પરના હત્યાના આરોપને ભારતે વાહિયાત અને ખોટા હોવાના ગણાવીને ફગાવી દીધા હતા અને આ બાબતે ભારતીય રાજદ્વારીની કેનેડામાંથી કાઢી નાખવાના બદલામાં કેનેડિયન રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

સતર્ક રહો અને સાવચેતી રાખો

કેનેડાની સરકારે રવિવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે કેનેડા અને ભારતમાં તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ કરવામાં આવી છે. મહેરબાની કરીને સાવચેત રહો અને સાવચેતી રાખો.

ભારતે વિઝા પર પ્રતિબંધ મૂક્યો

ગ્લોબલ ન્યૂઝના અહેવાલ મુજબ, આ નિર્ણય ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જાહેર કર્યા અને ગયા સપ્તાહના અંતમાં વિઝા સેવાઓ બંધ કર્યા લેવામાં આવ્યો છે.

ફરી એકવાર ઘેરાયા જસ્ટિન ટ્રુડો

કેનેડામાં વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કેનેડાની સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવા બદલ જસ્ટિન ટ્રુડોની સખત નિંદા કરી છે. તેણે ટ્રુડોને જાહેરમાં માફી માંગવા પણ કહ્યું છે. પિયરે આ મુદ્દો ઉઠાવ્યા બાદ કેનેડિયન સંસદના સ્પીકરે યહૂદીઓની માફી માંગવી પડી હતી.

તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી કેનેડાની મુલાકાતે ગયા હતા. તેમની સાથે 14મા વેફેન ગ્રેનેડિયર ડિવિઝનના ભૂતપૂર્વ નાઝી સૈનિક પણ હતા, જેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લડ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ સૈનિક ઝેલેન્સકી સાથે કેનેડિયન સંસદમાં પહોંચ્યો ત્યારે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. પિયરે આ મુદ્દે જ ટ્રુડોને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article