પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં તે સોમવારે ફરીથી લાહોર હાઈકોર્ટમાં તેની પત્ની બુશરા બીબી સાથે હાજર થયા હતા, જ્યાં હાઈકોર્ટે તેની પત્નીને 23 મે સુધી જામીન આપ્યા છે. ઈમરાન ખાનના જામીન અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. બુશરા બીબીએ આ મામલે લાહોર હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
પાકિસ્તાન રેન્જર્સે NAB દ્વારા અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે ઈમરાનને મુક્ત કરી દીધા હતા. બીજા જ દિવસે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા.
ઈમરાન ખાનની ધરપકડ કર્યા બાદ NAB ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. તેમની ઓફિસ રાવલપિંડીમાં છે. આ ઓફિસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, પાર્ટીના નેતૃત્વ દ્વારા આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા પીટીઆઈ ચીફને રાહત મળી હતી. એનએબીનું કહેવું છે કે ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબી અને અન્યો સામે અલ કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટના નામે સેંકડો જમીન કથિત રીતે હસ્તગત કરવાનો આરોપ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Pakistan: PAK સેના 10 વર્ષ સુધી જેલમાં રાખવા માંગે છે, સમર્થકોને ઈમરાન ખાનનો સંદેશ – ગુલામ બનવા કરતાં મોત સારું
9 મેના રોજ ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હડકંપ મચી ગઈ હતી. તેમના સમર્થકો અને પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. સૈન્ય અધિકારીઓના ઘરોને આગ લગાડવામાં આવી, દુકાનો લૂંટવામાં આવી. પથ્થરમારામાં સેંકડો લોકો ઘાયલ થયા હતા અને 47 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે તેમની પાર્ટીના 7000 કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
ઈમરાન ખાનનું કહેવું છે કે, સરકારી ઈમારત પર આગચંપી અને ગોળીબારના કારણે પ્રદર્શનકારીઓના મોત માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવી નથી. પીટીઆઈના લગભગ 7000 કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો