Breaking News : ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ, 5 ના મોત, અનેક ઈમારતો પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video

ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ અને સ્થાનિક એજન્સીઓએ લોકોને સતર્ક રહેવા, ઉંચી જમીન પર જવા અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.

Breaking News  : ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ, 5 ના મોત, અનેક ઈમારતો પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video
| Updated on: Jun 08, 2026 | 9:25 AM

ફિલિપાઈન્સના દક્ષિણી દ્રીપ મિંદાનાઓમાં સોમવારના રોજ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દક્ષિણી શહર જનરલ સેન્ટોસમાં 5 લોકના મોત થયાની જાણકારી સામે આવી રહી છે. ભૂકંપ પછી ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયાના અનેક દરિયાઈ વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.સમુદ્ર કિનારે રહેતા લોકોને તરત જ સુરક્ષિત સ્થાનો પર જવાની સલાહ આપવામાં આવી છે.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાઈન્સેઝના મુજબ ભૂકંપ જમીનથી માત્ર 10 કિમી ઉંડાઈ પર આવ્યો હહતો. ઓછી ઉંડાઈ પર આવતા ભૂંકપના કારણે જમીન વધારે હલે છે. તેમજ સુનામીનો ખતરો પણ વધી જાય છે. GFZ પહેલે આની તીવ્રતા 7.3ની જણાવી હતી. ત્યારબાદ 8.2 કહેવામાં આવી હતી.સંશોધિત કરવામાં આવતા 7.8 બતાવવામાં આવી છે. ભૂંકપના ઝટકાના કારણે એપાર્ટમેન્ટનો નાશ થયો છે. એક શાળા પણ ધરાશાયી થઈ છે.

 

 

ઉત્તરી પૂર્વી વિસ્તારમાં સુનામીનું અલર્ટ

ભૂકંપ પછી તરત જ અમેરિકી સુનામી વોર્નિગ સિસ્ટમને અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દરિયાઈ વિસારમાં ખતરનાક સમુદ્રી લહેરો આવી શકે છે. ત્યારબાદ ઈન્ડોનેશિયાની જિયો ફિઝિક્સ એજન્સીએ પણ દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી લોકોને સતર્ક રહેવાનું કહ્યું છે.

 

 

ફિલીપાઈન્સની સરકારી એજન્સી PHIVOLCS એ ચેતવણી જાહેર કરી છે કે, પ્રભાવિત દરિયાઈ વિસ્તારમાં એક મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. એજન્સીએ દક્ષિણી ફિલીપાઈન્સના અનેક વિસ્તારોમાં લોકોએ તરત જ ઉંચા વિસ્તારોમાં જવું કે સમુદ્રમાં સુરક્ષિત સ્થાનો પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

ફિલિપાઇન્સમાં ભૂકંપ કેમ આવે છે?

ફિલિપાઇન્સમાં કુદરતી આફતો માટે વિશ્વના સૌથી વધુ સંવેદનશીલ દેશોમાંનો એક છે. પેસિફિક રિંગ ઓફ ફાયરમાં સ્થિત, ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળવાના બનાવો વારંવાર બને છે. વધુમાં આ દેશમાં દર વર્ષે આશરે 20 વાવાઝોડા અને ચક્રવાત આવે છે, જેના કારણે તેના લોકો માટે વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભૂકંપના તરંગો એપી સેન્ટરમાંથી જ નીકળે છે. આનાથી ઘરતીમાં વાઇબ્રેશન થાય છે જેને લોકો અનુભવી શકે છે. અહી ક્લિક કરો

Follow Us