બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

નેપાળમાં બાલેન્દ્ર શાહ ઉર્ફ બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએે મોટી જીત મેળવી છે. એવામાં Gen-Zના હિરો બાલેન શાહના પ્રધાનમંત્રી બનવાનું નક્કી છે. જો કે તેની એન્ટી ઈન્ડિયા છબીને કારણે ભારતની ચિંતા પણ વધી છે. જેનુ કારણ એ છે કે તેઓ ભારત વિરોધી છે. તેના કેટલાક ભારત વિરોધી નિવેદનો પણ અનેકવાર વિવાદનું કેન્દ્ર રહ્યા છે. અગાઉની ઓલી સરકારને પણ  તેમણે ભારતની કઠપૂતળી સરકાર ગણાવી હતી.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર.... શું ભારતનું વધશે ટેન્શન?
| Updated on: Mar 09, 2026 | 8:40 PM

નેપાળની ચૂંટણીમાં બાલેન્દ્ર શાહની ધમાકેદાર જીત થઈ છે. 165 સીટ પર થયેલા મતદાનમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)એ મોટી જીત મેળવી છે. RSP ના પ્રદર્શનમાં દેશનો યુવા નેતા બાલેન્દ્ર શાહ સૌથી મોટો ચહેરો બનીને સામે આવ્યો છે અને તેમણે તેના તમામ પ્રતિસ્પર્ધીને પાછળ છોડી દીધા છે. જો કે બાલેન્દ્ર શાહની જીતે ભારત અને ચીનનું ટેન્શન વધારી દીધુ છે. આ પહેલા બાંગ્લાદેશમાં અમેરિક સમર્થિત તારિક રહમાને મોટી જીત હાંસિલ કરી હવે નેપાળમાં પણ અમેરિકા સમર્થિત બાલેન્દ્ર શાહની જીતે ભારતની ઉંઘ ઉડાડી દીધી છે.

ભારત વિરોધી નેતા છે બાલેન્દ્ર શાહ

બાલેન્દ્ર શાહની છબી ભારતના કટ્ટર વિરોધીની રહી છે. તેમને પ્રો અમેરિકી અને એન્ટી ઈન્ડિયા નેપાલી રાજનેતા માનવામાં આવે છે. ગયા વર્ષે થયેલા Gen-Z ના દેખાવોમાં બાલેન્દ્ર શાહને ખુલ્લુ સમર્થન મળ્યુ છે. કેટલાક સૂત્રો તો ત્યાં સુધી દાવો કરે છે કે આ વિરોધ પ્રદર્શનોનું પ્લાનિંગ અને આગેવાની પણ બાલેન્દ્ર શાહે કરી હતી. એવુ મનાય છે કે બાલેન્દ્ર શાહ નેપાળના એવા નેતાઓ પૈકી એક છે જેમને અમેરિકી એજન્સીએ તૈયાર અને પ્રમોટ અને પ્રોજેક્ટ કર્યા છે. શાહને અમેરિકાની કેટલાય વર્ષોથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાથી પણ લાભ થયો છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર અને રાજનેતાઓની આંતરિક લડાઈએ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

અમેરિકાનું મોહરુ છે બાલેન્દ્ર શાહ

ધ સન્ડે ગાર્ડિયનના એક રિપોર્ટ અનુસાર, અમેરિકાએ અમેરિકી USAID દ્વારા ફન્ડેડ ડેમોક્રેસી પ્રોગ્રામ અંતર્ગત નેપાળમાં રાજકીય માહોલ બદલવામાં મોટી ભૂમિકા ભજવી છે. ડેમોક્રેસી પ્રોગ્રામ માટે લીક થયેલા 2019-2020 ના વર્ક પ્લાનના ટાંકીને તે જણાવે છે યુએસએ નેપાળમાં સામાજિક નેતાઓ અને યુવા સુધારાવાદીઓના ચોક્કસ જૂથને પ્રોત્સાહન આપવા માટે એક વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. અમેરિકાએ આને કન્સોર્ટિયમ ફોર ઇલેક્શન્સ એન્ડ પોલિટિકલ પ્રોસેસીસ સ્ટ્રેન્થનિંગ દ્વારા અમલમાં મૂકાયેલા અને USAID દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા $4.3 મિલિયન “નીતિ સંવાદ” પોલિસી ડાયલોગ પ્રોજેક્ટ દ્વારા અમલમાં મૂક્યો.

બાલેન શાહની ભારત વિરોધી છબી

બાલેન શાહ એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ભૂતપૂર્વ રેપર છે. તેમણે 30 મે 2022 થી 18 જાન્યુઆરી 2026 સુધી કાઠમંડુના મેયર તરીકે સેવા આપી હતી. તેઓ કાઠમંડુના મેયર તરીકે ચૂંટાયેલા પહેલા સ્વતંત્ર ઉમેદવાર હતા. કાઠમંડુના મેયર હતા તે સમયે, બાલેન શાહે તેમની ઓફિસમાં ‘ગ્રેટર નેપાળ’નો નકશો લગાવ્યો હતો, જેમાં ભારતના ઘણા ભાગોનો સમાવેશ થતો હતો. આ નકશાને ભારતીય સંસદમાં ‘અખંડ ભારત’ ની ગ્રેફિટીના પ્રતિભાવ તરીકે જોવામાં આવ્યો હતો. તેમણે બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ ના એક સંવાદને લઈને નેપાળમાં હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની ધમકી પણ આપી હતી.
ભારત વિરોધી નિવેદનોનો ઇતિહાસ

સીતા માતાને નેપાળની પુત્રી ગણાવવાનો વિવાદ

બાલેન્દ્ર શાહે અગાઉ અનેક એવા નિવેદનો આપ્યા છે જેને ભારત વિરોધી ગણી શકાય. તેમણે નેપાળી સરકારને ભારતની ગુલામ પણ કહી હતી. મેયર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કાઠમંડુમાં ભારતીય ફિલ્મ “આદિપુરુષ” ની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે ફિલ્મમાં માતા સીતાને નેપાળને બદલે ભારતની પુત્રી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બાલેન્દ્રે સીતા માતાને નેપાળની પુત્રી ગણાવી હતી. 2025 માં, તેમણે ભારત, અમેરિકા અને ચીન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરીને એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. જોકે પોસ્ટ થોડા સમય પછી કાઢી નાખવામાં આવી હતી, પરંતુ આ પોસ્ટે ઓનલાઈન વ્યાપક ચર્ચા જગાવી હતી.

નેપાળમાં થયેલા Gen-Z આંદોલન બાદ સંસદીય ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિમાં ક્રાંતિકારી પરિવર્તનના સંકેત આપી દીધા છે. આ પહેલા 2006ની પહેલી જનક્રાંતિ બાદ થયેલા વ્યાપક શાંતિ કરારના આધારે 2008માં સંવિધાન સભાએ ચૂંટણી કરાવી હતી. ત્યારે પુષ્પ કમલ દાહલ પ્રચંડ ની પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી કેન્દ્ર)ને જનતાનું અતૂટ સમર્થન મળ્યુ હતુ. પરંતુ તે લોકોની અપેક્ષાઓને પુરુ ન કરી શક્યા. વર્ષ 2015 સુધીમાં નેપાળ એક સમાવેશી સંવિધાન પણ ન બની શક્યુ. સંવિધાન લાગુ થયા બાદ પણ કોઈ સ્થાયી નેતૃત્વ દેશને ન મળ્યુ અને વારંવાર પ્રધાનમંત્રીઓ બદલાતા રહ્યા.

Gen-Z આંદોલન બીજી મોટી જન ક્રાંતિ

ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા Gen-Z આંદોલનને નેપાળની બીજી મોટી જન ક્રાંતિ માનવામાં આવી રહી છે. ત્યારબાદ પહેલીવાર નેપાળમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમા પરંપરાગત રાજકીય પક્ષો સામે નેપાળીઓનો ગુસ્સો સ્પષ્ટપણે દર્શાવે છે. આ વખતે, રેપરથી રાજકારણી બનેલા બાલેન્દ્ર શાહ (બાલેન) ની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ને બહુમતી મળી છે. RSP એ 90 માંથી 72 બેઠકો પર જીત મેળવી છે. આ ઉપરાંત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુનિફાઈડ માર્ક્સવાદી લેનિનવાદી) દેશની બીજી અન નેપાળી કોંગ્રેસની ત્રીજી સૌથી મોટી બનવાની છે.

વચનોથી મળ્યો Gen-Zનો સાથ

RSP એ વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેનને તેના મુખ્ય પ્રતિસ્પર્ધી અને ચારવાર પીએમ રહી ચુકેલા કેપી શર્મા ઓલીને 50 હજાર વોટોથી હરાવ્યા છે. બાલેનને યુવાનો વધુ પસંદ કરે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને સિસ્ટમ બદલવાના વચનોએ Gen-Zને તેની સાથે લાવ્યુ છે.
આ ચૂંટણીમાં ફરી એકવાર ફેસબુક, યુટ્યુબનો ઘણો પ્રભાવ પડ્યો. જેનાથી યુવાનોની ભાગીદારી વધી અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની ભાવના મજબુત બની. ઓલી સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે આત્મઘાતી સાબિત થયો અને Gen-Z આંદોલનને વેગ મળ્યો.

જનાદેશને ઠોકર

ચૂંટણી પહેલા નેપાળમાં રાજકીય પરિસ્થિતિ ખૂબ જ તંગ હતી. ઓલીના પક્ષ અને નેપાળી કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન પર Gen-Z આંદોલનને દબાવવા માટે હિંસાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ચીન સાથે ઓલીની વધતી જતી નિકટતાથી અમેરિકા ઘણુ ગુસ્સે થયુ. આ દરમિયાન, પ્રચંડ અને ઓલી જેવા વરિષ્ઠ પીઢ નેતાઓની ધાક ઓછી થવા લાગી અને જનતા તેમની ભાગીદારીથી કંટાળી ગઈ.

2022ની ચૂંટણીમાં નેપાળી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તેમ છતાં,પહેલા પ્રચંડ વડાપ્રધાન બન્યા, અને બાદમાં ઓલી બન્યા. જેનાથી જનાદેશને મોટી ઠેસ પહોંચી. વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ઓલી પર ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહીનો પણ આરોપ મૂકવામાં આવ્યો. ચૂંટણી પહેલા, પાર્ટીની અંદર કટોકટી વધી ગઈ જ્યારે ગગન થાપાએ શેર બહાદુર દેઉબાને નેતા તરીકે બદલ્યા, આ નિર્ણયને દેઉબાએ કોર્ટમાં પડકાર્યો. આ આંતરિક વિખવાદથી બાલેનને ફાયદો થયો, જેનાથી તેમની ચૂંટણીનો માર્ગ મોકળો થયો.

શું પાયમાલ પાકિસ્તાન ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની આગમાં ખુદને હોમવાની ભૂલ કરશે?

Published On - 8:40 pm, Mon, 9 March 26