ભારતની કડકાઈ બાદ કેનેડાની અક્કલ આવી ઠેકાણે, કહ્યું- ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ

આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન કેનેડાના રક્ષા મંત્રી બિલ બ્લેરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈન્ડો-પેસિફિકમાં રણનીતિ ભારત વિના અધૂરી છે.

ભારતની કડકાઈ બાદ કેનેડાની અક્કલ આવી ઠેકાણે, કહ્યું- ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ
justin trudeau and pm modi
Image Credit source: PTI
| Edited By: | Updated on: Sep 25, 2023 | 7:55 AM

ભારતે દાખવેલી કડકાઈ બાદ કેનેડા ઘૂંટણિયે પડ્યું છે. કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે ભારત સાથેના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત સાથેના સંબંધો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈન્ડો-પેસિફિકમાં વ્યૂહરચના ભારત વિના અધૂરી છે, કારણ કે તે ભારત છે જે ઈન્ડો-પેસિફિકમાં લશ્કરી તાકાત પૂરી પાડે છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે.

કેનેડા ભાગીદારી ચાલુ રાખશે: સંરક્ષણ પ્રધાન

સંરક્ષણ પ્રધાન બિલ બ્લેર કહે છે કે, કેનેડા નિજ્જરની હત્યાની તપાસ ચાલુ રાખશે ત્યારે ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી જેવી ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ભારત સાથેના અમારા સંબંધો વણસેલા છે, પરંતુ કાયદાનું રક્ષણ કરવું અને નાગરિકોની સુરક્ષા કરવી એ અમારી જવાબદારી છે.

બ્લેરે કહ્યું કે ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના હજુ પણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના કારણે આ ક્ષેત્રમાં સૈન્યની હાજરીમાં વધારો થયો છે. અમારી ફોરવર્ડ પેટ્રોલિંગ ક્ષમતાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા વધી છે. ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના 5 વર્ષોમાં લશ્કરી પ્રાથમિકતાઓમાં US$492.9 મિલિયનનું યોગદાન આપે છે.

આ પહેલા પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે, નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. પીએમ ટ્રુડોના નિવેદન બાદ વિવાદ એટલો વધી ગયો કે ભારત અને કેનેડા બંનેએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. દરમિયાન ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ટ્રુડો ખોટું બોલી રહ્યા છે. તેમના નિવેદનો ભ્રામક છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો