Afghanistan: તાલિબાનનો સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુંદઝાદા જીવિત છે કે મરી ગયો તેનું રહસ્ય ખુલ્યુ !

|

Dec 03, 2021 | 1:08 PM

તાલિબાન નેતાઓની લો પ્રોફાઇલ પાછળનું મુખ્ય કારણ માર્યા જવાનો ડર છે. અમેરિકા અવારનવાર ડ્રોન હુમલા દ્વારા આતંકવાદીઓનો ખાતમો બોલાવતુ રહે છે.

Afghanistan: તાલિબાનનો સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુંદઝાદા જીવિત છે કે મરી ગયો તેનું રહસ્ય ખુલ્યુ !
Hibatullah Akhundzada

Follow us on

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી લીધી ત્યારથી તાલિબાનના આંદોલનના સર્વોચ્ચ નેતા (Supreme leader) હિબતુલ્લા અખુંદઝાદા (Hibatullah Akhundzada)ના અસ્તિત્વ વિશે કોઈને જાણકારી નથી. એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે તાલિબાનની અફઘાનિસ્તાનમાં વાપસી પછી તાલિબાનના સર્વોચ્ચ નેતા અખુંદઝાદા વિશ્વની સામે આવશે. જો કે અત્યાર સુધીમાં અખુંદઝાદા વિશે કોઇ માહિતી બહાર આવી નથી. તાલિબાનની જાણકારી ધરાવતા વિશ્લેષકો (Analysts) ને પણ હવે શંકા છે કે વાસ્તવમાં તાલિબાનનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે.

 

ઓક્ટોબર 2021ની ઓડિયોક્લિપ ?
એક સમાચાર એજન્સીએ અખુંદઝાદાને શોધવાનો પ્રયાસ કર્યો છે. 30 ઓક્ટોબરના રોજ એવી અફવા મળી હતી કે અખુંદઝાદાએ દક્ષિણ શહેર કંદહારમાં એક મદરેસામાં સંબોધન કર્યું હતું. તાલિબાનના અધિકારીઓએ હાકીમિયા મદરેસામાં સર્વોચ્ચ નેતાની હાજરીને અધિકૃતતાની મહોર આપી. 10 મિનિટથી વધુ ચાલેલી ઓડિયો રેકોર્ડિંગ બહાર પાડવામાં આવી હતી. અખુંદઝાદાએ આ ઓડિયોમાં કહ્યું હતું કે, ‘ઉપરવાળો અફઘાનિસ્તાનના પીડિત લોકોને પુરસ્કાર આપે કે જેમણે 20 વર્ષ સુધી કાફિરો અને અત્યાચારીઓ સાથે લડ્યા.’

મદરેસામાં હાજર લોકોએ આપી ખાતરી
મદરેસાના સુરક્ષા વડા માસૂમ શકરુલ્લાએ જણાવ્યું કે, જ્યારે સર્વોચ્ચ નેતાએ મદરેસાની મુલાકાત લીધી ત્યારે તેઓ સશસ્ત્ર હતા અને તેમની સાથે ત્રણ સુરક્ષા ગાર્ડ પણ હતા. તેણે કહ્યું કે મોબાઈલ ફોન અને સાઉન્ડ રેકોર્ડરને પણ મંજૂરી નથી. મોહમ્મદ નામના 19 વર્ષીય વિદ્યાર્થીએ કહ્યું, “અમે બધા તેની તરફ જોઈ રહ્યા હતા.” પૂછવામાં આવ્યું કે શું તે ખાતરી કરી શકે છે કે તે ચોક્કસપણે અખુંદઝાદા છે,તો  મોહમ્મદે કહ્યું કે તે અને તેના સાથીઓ એટલા ખુશ હતા કે તેઓ તેનો ચહેરો જોવાનું ભૂલી ગયા. . મોહમ્મદ મુસા નામના 13 વર્ષના વિદ્યાર્થીએ અખુન્દઝાદાને કહ્યું કે તે તાલિબાન દ્વારા જાહેર કરાયેલી તસવીર જેવો જ દેખાતો હતો.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

તેથી જ તાલિબાન નેતાઓ લો પ્રોફાઇલ રહે છે
વાસ્તવમાં, તાલિબાન નેતાઓની લો પ્રોફાઇલ પાછળનું મુખ્ય કારણ માર્યા જવાનો ડર છે. અમેરિકા અવારનવાર ડ્રોન હુમલા દ્વારા આતંકવાદીઓ સાથે કામ કરતું આવ્યું છે. આવા જ એક ડ્રોન હુમલામાં 2016માં તત્કાલિન તાલિબાન નેતા મુલ્લા અખ્તર મંસૂર માર્યો ગયો હતો. તે પછી જ અખુંદઝાદા તાલિબાનના ટોચના પદ પર આવી ગયા. તેને ટૂંક સમયમાં અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીનો ટેકો મળ્યો. તમને જણાવી દઈએ કે તાલિબાને પાંચ વર્ષ પહેલા અખુંદઝાદાની એક તસવીર જાહેર કરી હતી, ત્યાર બાદ તેમની એક પણ નવી તસવીર જાહેર કરવામાં આવી નથી.

અખુંદઝાદા આત્મઘાતી હુમલામાં માર્યા ગયા
પદભ્રષ્ટ અફઘાન શાસનના અધિકારીઓ અને ઘણા પશ્ચિમી વિશ્લેષકો માને છે કે અખુંદઝાદા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. તેમનું માનવું છે કે તેને જીવતો દેખાડવા માટે આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. તાલિબાનોએ ભૂતકાળમાં આવું કર્યું છે, જ્યારે તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરનું 2013માં મૃત્યુ થયું હતું. પરંતુ તેને બે વર્ષ જીવતો બતાવવામાં આવ્યો હતો.

એક ભૂતપૂર્વ સરકારી સુરક્ષા અધિકારીએ સમાચાર એજન્જસીને જણાવ્યું હતું કે, અખુન્દઝાદા પોતે લાંબા સમયથી મૃત્યુ પામ્યા હતા અને કાબુલ પર કબ્જા પહેલાં તેમની કોઈ ભૂમિકા ન હતી. સૂત્રોનું માનવું છે કે લગભગ ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાનના ક્વેટામાં એક આત્મઘાતી હુમલામાં તે તેના ભાઈ સાથે માર્યો ગયો હતો.

આ પણ વાંચો: Crime: એક મદરેસા શિક્ષક છ વર્ષની માસૂમ સાથે કરતો હતો અશ્લીલ હરકતો, માતાને વર્ણવી અપરાધીની કાળી કરતૂત

આ પણ વાંચો: Crime : ત્રણ વર્ષના દીકરાનું ગળું દબાવી માતાએ કરેલા આત્મહત્યા કેસમાં પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

 

 

Published On - 1:01 pm, Fri, 3 December 21

Next Article