Afghanistan Crisis : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા હિન્દુ અને શીખ સમુદાયના ભારતીય નાગરિકો આજે ભારત પરત ફરશે

|

Dec 10, 2021 | 1:33 PM

ઈન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પીએસ ચંડોકે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારથી પરેશાન સ્થાનિક હિન્દુ-શીખ સમુદાયના લોકો ઉપરાંત અફઘાન મૂળના ભારતીય નાગરિકોના જીવનસાથીઓને પણ ભારત લાવવામાં આવી રહ્યા છે.

Afghanistan Crisis : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા હિન્દુ અને શીખ સમુદાયના ભારતીય નાગરિકો આજે ભારત પરત  ફરશે
File photo

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan)  તાલિબાનના (Taliban) કબ્જા બાદ લોકોનું દેશ છોડીને ભાગી જવાની પ્રક્રિયા ચાલુ છે. સ્થિતિ સામાન્ય થયા બાદ ભારતે ફરી એકવાર અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાન મોકલવામાં આવેલ વિશેષ ચાર્ટર્ડ એરક્રાફ્ટ આજે  દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. આ વિમાનમાં અફઘાન મૂળના હિંદુ અને શીખ સમુદાયના નાગરિકોને પણ લાવવામાં આવી રહ્યા છે, જેઓ પોતાના દેશમાં દુઃખી છે.

ઈન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પીએસ ચંડોકે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારથી પરેશાન સ્થાનિક હિંદુ-શીખ સમુદાયના લોકો ઉપરાંત અફઘાન મૂળના ભારતીય નાગરિકોના જીવનસાથીઓને પણ ભારત લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે ગર્વની વાત છે કે રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા સહિતના હિંદુ ધાર્મિક ગ્રંથોને અફઘાનિસ્તાનના 3 પવિત્ર ગુરુદ્વારા, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જી અને પ્રાચીન 5મી સદીના અસ્માઈ મંદિર, કાબુલથી વિમાનમાં લાવવામાં આવી રહ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સોબતી ફાઉન્ડેશન દ્વારા પુનર્વસન કરવામાં આવશે
ઈન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનિત સિંહ ચંડોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા લોકોના આગમન બાદ સોબતી ફાઉન્ડેશન દ્વારા તેમનું પુનર્વસન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન છોડીને નિરાશ થઈ રહેલા સ્થાનિક લોકોની સંખ્યા સતત વધી રહી છે. દરરોજ અનેક બસો પશ્ચિમ અફઘાન શહેર હેરાતથી સેંકડો લોકોને ઈરાન-અફઘાનિસ્તાન સરહદે લઈ જાય છે. ત્યાં તેઓ તેમના દાણચોરોને મળે છે અને પછી ઘણા દિવસો સુધી પગપાળા મુસાફરી કરે છે.

ક્યારેક તેઓ ટ્રકમાં ફસાયેલા લોકો સાથે મુસાફરી કરે છે અને ક્યારેક તેઓ ચોરો અને સરહદ રક્ષકોથી બચીને અંધારામાં પર્વતમાળામાં ચાલે છે. તાજેતરમાં, ઇસ્લામિક અમીરાતના સ્પેશિયલ યુનિટના ભારે સશસ્ત્ર અધિકારીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના કાર્તે પરવાન વિસ્તારમાં સ્થિત ગુરુદ્વારા દશમેશમાં બળજબરીથી પ્રવેશ્યા હતા. તેણે ત્યાં હાજર શીખ સમુદાયના લોકોને ધમકી આપી અને મંદિરની પવિત્રતાને ખલેલ પહોંચાડી હતી.

આ પણ વાંચો : CDS Bipin Rawat Funeral Live : દેશના શહીદોને અંતિમ વિદાય, સીડીએસ રાવતના ભીની આંખે અંતિમ દર્શન કરી રહ્યા છે લોકો

આ પણ વાંચો : લાખ પ્રયાસો છતાં પાઇલોટ પ્લેનને બચાવી ન શક્યા , ધમાકાનો અવાજ સાંભળતા જ લોકો દંગ રહી ગયા હતા, જાણો હેલિકોપ્ટર ક્રેશની મિનિટ-મિનિટની કહાની

Next Article