Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી

|

Sep 17, 2023 | 10:53 PM

ઈરાનના ઈંધણની કિંમત પાકિસ્તાની રિફાઈનરી કરતા ઘણી ઓછી છે. બલૂચિસ્તાનના કાર્યકારી સૂચના મંત્રી જાન અચકઝાઈએ મીડિયાને જણાવ્યું કે આ તમામ પેટ્રોલ પંપ લોકોને ગેરકાયદેસર રીતે ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યા હતા. દેશમાં ઈરાની ઉત્પાદનોનો પુરવઠો રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી
petrol pump

Follow us on

Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સરકારે 500 પેટ્રોલ પંપ (Petrol Pump) બંધ કરી દીધા છે. જે લોકોને ગેરકાયદેસર રીતે સસ્તા ઈરાની ઈંધણનો સપ્લાય કરતા હતા. સરકારના આ નિર્ણયને કારણે નબળી અર્થવ્યવસ્થા અને ઊંચી મોંઘવારી વચ્ચે રોકડની તંગીને કારણે સ્થાનિક રિફાઈનરીને પણ અસર થઈ રહી છે.

ગેરકાયદેસર રીતે ઈરાની ઈંધણ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું

ઈરાનના તેલની કિંમત પાકિસ્તાની રિફાઈનરી કરતા ઘણી ઓછી છે. બલૂચિસ્તાનના કાર્યકારી સૂચના મંત્રી જાન અચકઝાઈએ મીડિયાને જણાવ્યું કે, આ તમામ પેટ્રોલ પંપ લોકોને ગેરકાયદેસર ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યા હતા. દેશમાં ઈરાની ઉત્પાદનોનો પુરવઠો રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Pakistan News: ભગતસિંહને ફાંસી આપ્યાના 92 વર્ષ બાદ હવે શા માટે પાકિસ્તાનમાં થયો હોબાળો?

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પાકિસ્તાનની કાર્યકરી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી, જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 330 રૂપિયા પ્રતિ લિટરથી વધુ થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. IMFએ આ વર્ષે 3 બિલિયન યુએસ ડોલરના સપોર્ટ પેકેજ સાથે પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને બચાવી હતી.

સ્થાનિક રિફાઈનરી ઉત્પાદનોને અસર થઈ રહી છે

દેશમાં ગેરકાયદેસર રીતે ઈરાની ઈંધણનું વેચાણ થવા લાગ્યું હતું, જેની કિંમત 220-230 રૂપિયા પ્રતિ લિટર છે. દાણચોરો કન્ટેનરમાં ઈરાની ઈંધણ ભરીને ઈરાનથી બલૂચિસ્તાન થઈને સરહદ પાર લાવે છે. જ્યાંથી તેઓ કરાચી અને અન્ય દક્ષિણ સિંધ પ્રાંતમાં મોકલે છે. રિફાઈનરી ઉદ્યોગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાની ઉત્પાદનોના કારણે સ્થાનિક રિફાઈનરીઓના વેચાણને અસર થઈ રહી છે.

અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાકિસ્તાન સરકારે 2013થી ઈરાની ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. અચકઝાઈએ કહ્યું કે બલૂચિસ્તાનમાં ઈરાની ઈંધણનું વેચાણ કરતા ખાનગી ડીલરોએ ક્વેટાના એક મકાનમાં લગભગ 10 લાખ ડોલર છુપાવ્યા હતા, જેને અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા.

સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ઈરાની ઈંધણની દાણચોરી અને યુએસ ડોલરના દરમાં વધારાને કારણે પાકિસ્તાનની કેટલીક રિફાઈનરીઓ બંધ કરવી પડશે. તેમણે કહ્યું કે આ દાણચોરીને રોકવા માટે તેઓ સિંધ સરકારના સતત સંપર્કમાં છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article