Colorado Fire: અમેરિકાના કોલોરાડોમાં આગના તાંડવ વચ્ચે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી, ત્રણ લોકો લાપતા

|

Jan 02, 2022 | 11:46 AM

બોલ્ડર કાઉન્ટીના પ્રવક્તા જેનિફર ચર્ચિલે જણાવ્યું હતું કે ત્રણ લોકો ગુમ થયાની આશંકા છે. પેલેએ જણાવ્યું હતું કે લુઇસવિલેમાં આગમાં 553 ઘર, સુપિરિયરમાં 332 અને કાઉન્ટીના ભાગોમાં 106 ઘર બળીને ખાખ થઈ ગયા હતા.

Colorado Fire: અમેરિકાના કોલોરાડોમાં આગના તાંડવ વચ્ચે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી,  ત્રણ લોકો લાપતા
hundreds of homes destroyed in Colorado fire

Follow us on

Colorado Fire: યુ.એસ.માં, કોલોરાડો (Colorado) રાજ્યના જંગલમાં લાગેલી આગ(Colorado Fire) ને કારણે લગભગ એક હજાર ઘર બળીને ખાખ થઈ ગયા હતા અને ત્રણ લોકો લાપતા છે. બોલ્ડર કાઉન્ટી શેરિફ જો પેલેએ શનિવારે જણાવ્યું હતું કે, અધિકારીઓ આગ શા કારણે લાગી તેની તપાસ કરી રહ્યા છે. ગુરુવારે લાગેલી આગ (Fire)ને કારણે ડેનવર(Denver) અને બોલ્ડર (Boulder) શહેરો વચ્ચેના વિસ્તારોમાં ધુમાડો જોવા મળ્યો હતો અને આકાશમાં આગની જ્વાળાઓ  જોવા મળી હતી.

જો પેલેએ કહ્યું કે, જ્યાં આગ લાગી હતી ત્યાં એક પણ વીજ લાઈન પડતી જોવા મળી નથી. કાઉન્ટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ડાઉનટાઉન સુપિરિયરથી પશ્ચિમમાં લગભગ 3.2 કિલોમીટર દૂર ઘાસના મેદાનમાંથી આગ ફેલાઈ હતી કે કેમ તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આસપાસના વિસ્તારોને કોર્ડન કરી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે, શુક્રવાર સુધીમાં 500 થી વધુ ઘર આગથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે. આગની તીવ્રતાને જોતા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.

આગને કારણે 24 કિમી વિસ્તાર પ્રભાવિત થયો છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બોલ્ડર કાઉન્ટીના પ્રવક્તા જેનિફર ચર્ચિલે જણાવ્યું હતું કે, ત્રણ લોકો ગુમ થયાની આશંકા છે. પેલેએ જણાવ્યું હતું કે લુઇસવિલેમાં આગમાં 553 ઘર, સુપિરિયરમાં 332 અને કાઉન્ટીના અસંગઠિત ભાગોમાં 106 ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. તેમને આશંકા છે કે આ સંખ્યા વધી શકે છે. ડેનવરથી લગભગ 32 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં લુઇસવિલે અને સુપિરિયરની આસપાસ જંગલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા છે. 24 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આગથી પ્રભાવિત થયો છે.

હિમવર્ષાથી રાહતની આશા

આ આગ ગુરુવારે કોલોરાડોના જંગલમાં લાગી હતી. 6.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી જંગલની આગને કારણે વિસ્તારના ઘણા ભાગો ધુમાડાથી ભરાઈ ગયા હતા અને આકાશમાં આગની જ્વાળાઓ  જોવા મળી હતી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ક્યારે બચાવકર્તા અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને ફસાયેલા લોકોને બચાવવા અને નુકસાનનું મૂલ્યાંકન કરી શકે છે તે જોઈ રહ્યા છે. આ વિસ્તારમાં હિમવર્ષાના કારણે બચાવકર્તાઓને આશા છે કે આગ પર કાબૂ મેળવવામાં મદદ મળે તેવી શક્યતા છે.

જો બાઈડન પરિસ્થિતિને આપત્તિ જાહેર કરી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) પરિસ્થિતિને આપત્તિ જાહેર કરી છે અને નિષ્ણાતોને ચેતવણી આપી છે કે આબોહવા કટોકટી અને ઉપનગરીય વિસ્તારના વિસ્તરણને કારણે વિનાશમાં વધારો થયો છે. સેંકડો રહેવાસીઓને આશા હતી કે, 2022 રાહત લાવશે, પરંતુ તેઓએ તેમના બળી ગયેલા ઘરોમાં નવા વર્ષનું સ્વાગત કરવું પડ્યું. આગને કારણે ઘર છોડવા મજબૂર થયેલા લોકો શુક્રવારે પોતાના ઘરે પરત ફરવા લાગ્યા હતા.

આ પણ વાંચો : France માં કોરોનાનો કહેર યથાવત, સતત ચોથા દિવસે 2,00,00 નવા કેસ આવ્યા, છ વર્ષના બાળકો માટે માસ્ક ફરજિયાત

Next Article