Flights Cancelled : ઓમિક્રોનનો કહેર, ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ

વિશ્વભરમાં કોરોનાનું નવું વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોન સામાન્ય જીવનને અસર કરી રહ્યું છે. આ કારણે શનિવાર સાંજ સુધીમાં અમેરિકામાં 2,600 થી વધુ અને વિશ્વમાં 4,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

Flights Cancelled : ઓમિક્રોનનો કહેર, ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ
Flights Cancelled (File Photo)
| Edited By: | Updated on: Jan 02, 2022 | 8:07 AM

કોરોનાના (Corona) નવા-નવા વેરિઅન્ટને લઈને ફરીથી વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના નવું ઓમિક્રોન વેરિઅન્ટ (omicron variant) સામાન્ય જીવનને અસર કરી રહ્યું છે. આ કારણે શનિવાર સાંજ સુધીમાં અમેરિકામાં 2,600 થી વધુ અને વિશ્વમાં 4,000 થી વધુ ફ્લાઈટ્સ રદ (Flights Cancelled) કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આજે એટલે કે રવિવારે પણ રદ થયેલી ફ્લાઈટ્સની સંખ્યા 1000થી વધુ છે. ખરાબ હવામાન અને ઓમિક્રોનના કારણે સ્ટાફમાં ઘટાડો પણ આ ફ્લાઈટ્સ કેન્સલ થવાનું મુખ્ય કારણ છે.

સાઉથવેસ્ટ એરલાઈન્સે 472 ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો અને 798 ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ તેમની તમામ સુનિશ્ચિત ટ્રીપનો એક તૃતીયાંશ હિસ્સો છે. આ ઉપરાંત, સ્કાયવેસ્ટ ઈન્ટરનેશનલે 479 ફ્લાઈટ્સ કેન્સલ કરી અને 406 અન્ય ફ્લાઈટ્સ સ્થગિત કરી. આ તેમની તમામ સુનિશ્ચિત ફ્લાઇટ્સમાંથી 44% થી વધુ હિસ્સો ધરાવે છે. માહિતી અનુસાર, મુખ્ય એરલાઇન ડેલ્ટા એરલાઇન્સે તેની ફ્લાઇટ્સ 10% ઓછી કરી છે. જ્યારે યુનાઇટેડ એરલાઇન્સ હોલ્ડિંગ્સે 7% ઘટાડો કર્યો છે.

રવિવારે લગભગ 1050 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

ફ્લાઈટ્સ પર દેખરેખ રાખતી ફ્લાઈટ અવેરના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા પ્રકોપની વિશ્વ પર અસર પડી રહી છે. રવિવાર માટે અમેરિકા આવતી અને જતી લગભગ 1050 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને સોમવારે પણ 202 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસ મુજબ, ભારે બરફના તોફાનો દેશના મોટા ભાગોમાં મુસાફરી ના કરે તેવી અપેક્ષા છે. એકંદરે, યુએસમાં કોરોના અને ઓમિક્રોનને કારણે નાતાલના આગલા દિવસેથી લગભગ 12,000 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

વિશ્વભરમાં ઓમિક્રોનનો પ્રકોપ વધ્યો

અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. યુરોપ અને અમેરિકાના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ફરી રેકોર્ડ સ્તરે પહોંચવા લાગ્યા છે. આ પછી સાવચેતીના ભાગરૂપે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રજાઓ દરમિયાન ફ્લાઈટ્સ બંધ કરવાથી વ્યવસાયને નુકસાન થઈ રહ્યું છે, તેમ છતાં ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળાને કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. મોટી એરલાઇન્સ સ્ટાફની અછતથી પણ જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો : India-Pakistan : ભારત-પાકિસ્તાને પરમાણુ સ્થાપનો અને સ્ટેશનોની યાદીની કરી આપ-લે, વર્ષ 1988માં થયો હતો કરાર

આ પણ વાંચો : ‘બલમ પિચકારી’ ફેમ શાલ્મલી ખોલગડેએ 16 વર્ષની ઉંમરે કરી હતી કરિયરની શરૂઆત, ત્યારબાદ આપ્યા અનેક હિટ ગીતો