
America: ગુરુ પૂર્ણિમાના અવસરે સોમવારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવા માટે યુએસએના ટેક્સાસમાં એલન ઇસ્ટ સેન્ટર ખાતે 4થી 84 વર્ષની વયના કુલ 10,000 લોકો ભેગા થયા હતા. આ કાર્યક્રમનું આયોજન યોગ સંગીતા અને SGS ગીતા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Russia Ukraine War: યુદ્ધમાં હનુમાનજી કરે છે અમારૂં રક્ષણ, રશિયના સેનાપતિના ખભા પર ગણેશજી-હનુમાનજીના ટેટૂ
મૈસૂર સ્થિત અવધૂત દત્ત પીઠમ આશ્રમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે ગુરુ પૂર્ણિમાના અવસર પર વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત પૂજ્ય ગણપતિ સચ્ચિદાનંદ જીની હાજરીમાં ભગવદ ગીતાનું પઠન કરવામાં આવ્યું હતું.
અવધૂત દત્ત પીઠમની સ્થાપના 1966માં સંત ગણપતિ સચ્ચિદાનંદ દ્વારા કરવામાં આવી હતી. તે એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ સંસ્થા છે. સ્વામીજીની સાર્વત્રિક દ્રષ્ટિ અને માનવજાતના ઉત્થાન માટે ઊંડી કરુણાએ પીઠમને માનવજાતની સુધારણા માટે વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને યોજનાઓ હાથ ધરવા પ્રેરણા આપી છે.
ટેક્સાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જપ કરનારા તમામ 10,000 લોકોએ તેમના ગુરુ ગણપતિ સચ્ચિદાનંદ જી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લાં આઠ વર્ષમાં તેને કંઠસ્થ કરી છે. આ પહેલીવાર નથી જ્યારે સ્વામીજીએ અમેરિકામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જાપનો કાર્યક્રમ આયોજિત કર્યો હોય. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને અમેરિકામાં મોટા પાયે હિંદુ આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે.
ગણપતિ સચ્ચિદાનંદ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવા અને સનાતન હિન્દુ ધર્મના મૂલ્યોને ફેલાવવા માટે વિશ્વ પ્રસિદ્ધ સંત છે. તે દરમિયાન સોમવારે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભક્તોએ વહેલી સવારે ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું અને તેમના આશીર્વાદ લીધા હતા.
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…