
નવજાત બાળકને (New born )ક્યારે નવડાવવું જોઈએ, નવજાત બાળકને કેવી રીતે નવડાવવું (Bath ) જોઈએ અને સ્ત્રી માટે નવજાત બાળકને નવડાવવાની યોગ્ય રીત કઈ છે. આ સવાલો દરેક માતાને મૂંઝવતા હોય છે. નાનકડા મહેમાનના આગમન પછી મહિલાઓના મનમાં આવા અનેક પ્રશ્નો આવે છે. માતા બનવું અને તમારા નવજાત શિશુની સંભાળ લેવી એ એક સુખદ અનુભવ છે, પરંતુ નવજાત શિશુની કાળજી લેવા માટે, ખાસ કરીને બાળકને નહાવાના નિયમોની યોગ્ય માહિતી હોવી પણ જરૂરી છે.
નવજાત શિશુના પ્રથમ સ્નાનનો સમય વિષે ઘણી માન્યતા છે. જ્યારે કેટલીક સંસ્થાઓ નવજાત શિશુના જન્મના એક કે બે કલાકમાં સ્નાન કરવાની ભલામણ કરી રહી છે, ત્યારે હવે આમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) જણાવે છે કે નવજાત બાળકને જન્મના 24 કલાક પછી જ પ્રથમ વખત સ્નાન કરાવવું જોઈએ. જો કે, જો તમે તમારા રિવાજ અથવા પરંપરાને કારણે આમ કરી શકતા નથી, તો પણ તમારે તમારા બાળકને નવડાવવા માટે ઓછામાં ઓછા 6 કલાક રાહ જોવી જોઈએ.
1. જન્મ પછી તરત જ બાળકને નવડાવવાથી શરદી અથવા હાઈપોથર્મિયાની સમસ્યા થઈ શકે છે. હાયપોથર્મિયા એ એવી સ્થિતિ છે જેમાં શરીરનું તાપમાન સામાન્ય કરતાં ઓછું થઈ જાય છે. ઝડપી સ્નાન તમારા બાળકના બ્લડ સુગર લેવલને પણ ઘટાડી શકે છે.
2. જન્મ પછી તરત જ બાળકને નવડાવવું માતા અને બાળક વચ્ચેના શારીરિક સ્પર્શને અસર કરી શકે છે, ઉપરાંત સ્તનપાનમાં સમસ્યા ઊભી કરે છે.
નવજાત બાળકોને દરરોજ સ્નાન કરવાની જરૂર નથી. તેઓને ભાગ્યે જ પરસેવો થાય છે અથવા એટલા ગંદા પણ તેઓ થતા નથી કે તેઓને વારંવાર સંપૂર્ણ સ્નાનની જરૂર પડે છે. બાળકના પ્રથમ વર્ષ દરમિયાન અઠવાડિયામાં ત્રણ વખત સ્નાન કરવું પૂરતું હોઈ શકે છે. વારંવાર નવડાવવાથી તમારા બાળકની ત્વચા સુકાઈ જાય છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)