કહેવાય છે કે પેટ(Stomach ) અડધા રોગોનું મૂળ છે. પેટને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્રને(Digestion ) સ્વસ્થ રાખવું પડે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે આંતરડાને (guts )સ્વચ્છ અને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. આંતરડાની સફાઈ એટલે આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરવા. જો તમારી આંતરડા યોગ્ય રીતે સાફ થશે, તો તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે, તમારી ચયાપચયની ક્રિયાને વેગ મળશે અને સાથે જ તમે ભવિષ્યમાં આંતરડાના કેન્સર જેવા ખતરનાક રોગના જોખમથી પણ બચી શકશો. અહીં જાણો તે ટિપ્સ વિશે જે તમારા આંતરડાને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
સફરજન કોલોન સાફ કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિતપણે ખાલી પેટ સફરજન ખાવાથી આંતરડામાં જમા થયેલી ગંદકી સાફ થાય છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યા થતી નથી. સફરજન પેટમાં કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવામાં પણ મદદરૂપ છે. તમે સફરજનનો રસ અથવા એપલ સીડર વિનેગરનું સેવન પણ કરી શકો છો.
ટામેટા, ગોળ, કાકડી, પાલક, ગાજર, બીટ વગેરે શાકભાજીમાંથી બનાવેલો જ્યુસ પણ કોલોન સાફ કરવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. આ જ્યુસ શરીરમાં પાણીની કમી પણ પૂરી કરે છે.
નારંગી, મોસંબી, પિઅર, જામફળ અને કેરી જેવા ફાઇબરથી ભરપૂર ફળો પેટ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેનો રસ પીવાને બદલે આ ફળોનું નિયમિત સેવન કરો. આનાથી તમારા મોટા આંતરડા અને પેટ બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે.
લીંબુ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. રોજ સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુ અને મધ મેળવીને પીવો. તેનાથી તમારા શરીરની વધારાની ચરબી પણ ઓછી થશે અને તમારા આંતરડા પણ સારી રીતે સાફ થશે.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
આ પણ વાંચો :