
ઉનાળામાં (Summer )જ્યાં લોકોને તડકા અને ભેજને કારણે બેચેની, ડિહાઈડ્રેશન અને માથાનો દુખાવો (Headache )જેવી સમસ્યાઓ થાય છે, ત્યાં કેટલાક લોકોને ઉનાળામાં શરદી (Cold )અને ઉધરસની સમસ્યા પણ થવા લાગે છે. આ એક પ્રકારની મોસમી એલર્જીક પ્રતિક્રિયા છે જે દર વખતે ઋતુ બદલાતા લોકોમાં જોવા મળે છે. આનાથી નાક વહેવું, ઉધરસ, ગળામાં ચુસ્તતા અને કફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બધી પરેશાનીઓમાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક આસાન ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં ઉધરસ-શરદીની સમસ્યા માટે આવો જ એક ઘરગથ્થુ ઉપાય છે શેરડીનો રસ અને મૂળાની શરબત. આ શરબત કેવી રીતે તૈયાર કરવી અને તેનું સેવન કરવાનો યોગ્ય સમય અહીં વાંચો.
આમ, ઉનાળામાં પણ જો તમને શરદી કે ઉધરસ જેવી સમસ્યાઓ પરેશાન કરતી હોય તો આ સરળ ઘરેલુ ઉપાય અજમાવીને તમે તેનાથી રાહત મેળવી શકો છો. શેરડીનો રસ અને મૂળાનો રસ ભેગો કરીને તેનું સેવન કરવાથી તમે પરિણામ જલ્દી જોઈ શકો છો.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)