
દુનિયાભરમાં 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટિસ દિવસ મનાવવામાં આવે છે. આનું કારણ લોકોને ડાયાબિટિસની બિમારી વિશે જાગ્રુત કરવાનું, પરંતુ ચિંતાનું કારણ એ છે કે, દર વર્ષે ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવા છતાં આ રોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ આ રોગ ફેલાઈ રહ્યો છે. દેશમાં ડાયાબિટીસના 10 કરોડથી વધુ દર્દીઓ છે.
નાના બાળકો પણ આ બીમારીનો ભોગ બની રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ રોગ ત્યારે જ જાણી શકાય છે જ્યારે દર્દી તેનાથી પીડાય છે.
ડોક્ટરનું કહેવું છે કે, જેનેટિક કારણો સિવાય અન્ય તમામ મામલે ડાયાબિટસની ઝપેટમાં આવતા બચી શકાય છે. આ બિમારીથી બચવા માટે શું કરવું જોઈએ. આ વિશે એક્સપર્ટ પાસે જાણીએ. દિલ્હીમાં વરિષ્ઠ ફિઝિશિયન ડો. કમલજીત સિંહ કૈથ જણાવે છે કે, આજના સમયમાં ડાયાબિટિસ સૌથી ઝડપી થતી બીમારી બની રહી છે. શહેરી વિસ્તારોમાં તો આ સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ડાયાબિટીસના કેસ એટલા ઝડપી વધવાનું મુખ્ય કારણ લોકોની ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણી ની આદતો છે.
કઈ રીતે ડાયાબિટિસથી બચવું
શરીરમાં મોટાભાગની બિમારીઓ ખરાબ ખાણીપીણાના કારણે થાય છે. ડાયાબિટિસથી બચવું છે તો ડાયટ સારું રાખવું પડશે.તમારા રોજના ડાયટમાં ફ્રુટ્સ જરુર સામેલ કરો. આહારમાં ફાઈબરની માત્રા પણ સારી રાખો. કેટલીક વસ્તુઓથી દુર રહો. જેમ કે મેંદો ન ખાઓ, ફાસ્ટ ફુડથી દુર રહો અને દારુ કે પછી ધ્રુમ્રપાનની આદતથી દુર રહો.
જો તમે એક દિવસમાં 15 મિનિટ પણ કસરત કરો છો તો આ તમારી ડાયાબિટિસના ખતરાથી બચાવી શકે છે. એવો પ્રયત્ન કરો કે, 24 કલાકમાંથી માત્ર 15 મિનિટ તમારા શરીર માટે કાઢો અને કસરત કરો. જરુરી નથી કે હેવી વર્કઆઉટ જ કરવું. તમે વોકિંગ, સાઈકલ ચલાવવું કસરત પણ કરી શકો છો.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 10:11 am, Tue, 14 November 23