Knowledge : મચ્છર કેટલાક લોકોને વધુ અને કેટલાકને ઓછા કેમ કરડે છે? આ છે તેનું મોટું કારણ

|

Aug 27, 2021 | 3:06 PM

ઘણા લોકોને એ પ્રશ્ન થતો હશે કે, મચ્છર કેટલાક લોકોને વધુ અને કેટલાકને ઓછા કેમ કરડે છે ? ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેની માટે કયા કારણો જવાબદાર છે.

1 / 6
મચ્છરના કરડવાથી ઘણી ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. કેટલાક મચ્છરને કારણે લોકો ખતરનાક રોગના પણ શિકાર બનતા હોય છે.વિશ્વભરમાં દર વર્ષે હજારો લોકો મચ્છરના કરડવાથી મૃત્યુ પામે છે. મચ્છરોથી છુટકારો મેળવવા માટે ઘણા દેશોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઉપરાંત સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે આજે આપણે જાણીશું કે મચ્છર કેટલાક લોકોને વધારે અને કેટલાક લોકોને કેમ ઓછા કરડે છે ?

મચ્છરના કરડવાથી ઘણી ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. કેટલાક મચ્છરને કારણે લોકો ખતરનાક રોગના પણ શિકાર બનતા હોય છે.વિશ્વભરમાં દર વર્ષે હજારો લોકો મચ્છરના કરડવાથી મૃત્યુ પામે છે. મચ્છરોથી છુટકારો મેળવવા માટે ઘણા દેશોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઉપરાંત સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે આજે આપણે જાણીશું કે મચ્છર કેટલાક લોકોને વધારે અને કેટલાક લોકોને કેમ ઓછા કરડે છે ?

2 / 6
તમને જણાવી દઈએ કે આપણા દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ મચ્છરો મનુષ્યોને શોધવા માટે કરે છે. આશરે 10 થી 50 મીટરના અંતરે કાર્બન ડાયોક્સાઈડ દ્વારા તે માણસને શોધી લે છે.

તમને જણાવી દઈએ કે આપણા દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ મચ્છરો મનુષ્યોને શોધવા માટે કરે છે. આશરે 10 થી 50 મીટરના અંતરે કાર્બન ડાયોક્સાઈડ દ્વારા તે માણસને શોધી લે છે.

3 / 6
લગભગ 5 થી 15 મીટરના અંતરેથી મચ્છરો મનુષ્યોને જુએ છે. તેઓ માણસોની નજીક જવા માટે તેમના વિઝ્યુલનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ આપણા શરીરની ખૂબ નજીક પહોંચે છે, ત્યારે શરીરની ગરમીનો અનુભવ કરીને, તેઓ નક્કી કરે છે કે વ્યક્તિને કરડવું કે નહીં.

લગભગ 5 થી 15 મીટરના અંતરેથી મચ્છરો મનુષ્યોને જુએ છે. તેઓ માણસોની નજીક જવા માટે તેમના વિઝ્યુલનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ આપણા શરીરની ખૂબ નજીક પહોંચે છે, ત્યારે શરીરની ગરમીનો અનુભવ કરીને, તેઓ નક્કી કરે છે કે વ્યક્તિને કરડવું કે નહીં.

4 / 6
ઉપરાંત જે વ્યક્તિના શરીરમાંથી લેક્ટિક એસિડ કેમિકલ વધુ બહાર આવે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

ઉપરાંત જે વ્યક્તિના શરીરમાંથી લેક્ટિક એસિડ કેમિકલ વધુ બહાર આવે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

5 / 6
વૈજ્ઞાનિક પરીક્ષણો પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો O બ્લડ ગ્રુપ ધરાવે છે તેઓને પણ મચ્છર વધુ કરડે છે.

વૈજ્ઞાનિક પરીક્ષણો પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો O બ્લડ ગ્રુપ ધરાવે છે તેઓને પણ મચ્છર વધુ કરડે છે.

6 / 6
એટલું જ નહીં, વ્યક્તિની શારીરિક એક્ટિવિટી જોઈને પણ મચ્છરો મનુષ્યોને કરડવા માટે આકર્ષાય છે. તેમજ મેદસ્વી અથવા શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોને મચ્છર વધુ કરડે છે.

એટલું જ નહીં, વ્યક્તિની શારીરિક એક્ટિવિટી જોઈને પણ મચ્છરો મનુષ્યોને કરડવા માટે આકર્ષાય છે. તેમજ મેદસ્વી અથવા શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોને મચ્છર વધુ કરડે છે.

Next Photo Gallery