બોલિવૂડ અભિનેત્રી અને પ્રખ્યાત મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર પુનમ પાંડેનું સર્વિકલ કેન્સરેના કારણે અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ આ વાતનો ખુલાસો થયો છે અને અભિનેત્રીએ આ બીમારીને લઈને જાગૃતી ફેલાવવા નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ શું છે આ બીમારીના લક્ષણો શું છે અને કેવી રીતે તેનાથી બચી શકાય ચાલો અહીં સમજીએ
આ દુઃખદ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા ભારત સરકારના વચગાળાના બજેટ 2024માં 9 થી 14 વર્ષની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે મફત રસીકરણની જાહેરાત કરવામાં આવી હતી. આ રોગને ‘સાયલન્ટ કિલર’ કહેવામાં આવે છે, તે શરૂઆતમાં કોઈ મોટા લક્ષણો દેખાતું નથી.
સર્વાઇકલ કેન્સર એ એક પ્રકારનું કેન્સર છે જે સર્વિક્સ, ગર્ભાશયના નીચેના ભાગમાં શરૂ થાય છે. સર્વાઈકલ કેન્સર મહિલાઓના આ ભાગની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. જો કે, ઘણા અહેવાલોમાં, એવું માનવામાં આવે છે કે આ કેન્સરનું સ્વરૂપ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના વિવિધ પ્રકારના એચપીવી સ્ટ્રેનને કારણે થવાની સંભાવના વધારે છે.
હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ના ઉચ્ચ-જોખમ પ્રકારના લાંબા ગાળાના (સતત) ચેપ લગભગ તમામ સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે. બે ઉચ્ચ-જોખમ પ્રકારો, HPV 16 અને HPV 18, વિશ્વભરમાં સર્વાઇકલ કેન્સરના 70% કારણ છે. લગભગ તમામ લૈંગિક રીતે સક્રિય લોકો તેમના જીવનના અમુક તબક્કે HPV થી ચેપ લાગવાનું જોખમ ધરાવે છે. સામાન્ય રીતે, આનું કારણ નાની ઉંમરે અન્ય ઘણા લોકો સાથે જાતીય સંબંધો અથવા સેક્સ્યુઅલી એક્ટિવ હોવાને કારણે ગર્ભાશયમાં કેન્સરની વૃદ્ધિ થવાની સંભાવના છે.
સર્વાઇકલ કેન્સરનું ઉચ્ચ જોખમ માનવ પેપિલોમા વાયરસનું એક પ્રકાર છે. જો સ્ત્રી એચપીવીના સંપર્કમાં આવે છે, તો શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર થાય છે. જ્યારે કેટલીક મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ તે વાયરસને રોકી શકતી નથી કે ખતમ કરી શકતી નથી. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી હાઈ રિસ્ક એચપીવીના સંપર્કમાં રહે છે, તો આ કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે.
જોકે આ કેન્સરના કોઈ પ્રારંભિક લક્ષણો અનુભવાતા નથી. ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી જ તેના લક્ષણો સમજાય છે.તેથી સમયાંતરે તેની તપાસ કરાવવી જોઈએ. પીરિયડ્સમાં અનિયમિતતા, પીરિયડ્સ સિવાયનું બ્લીડિંગ, ફિઝિકલ પછી બ્લીડિંગ વગેરેને સર્વાઇકલ કેન્સરના લક્ષણો ગણવામાં આવ્યા છે. સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવા માટે, HPV નિવારણ રસી આપવી જોઈએ.જો કે, રસી પછી પણ નિયમિત તપાસ જરૂરી છે. મહિલાઓ માટે આ કેન્સર અંગે જાગૃતિ રાખવી ખૂબ જ જરૂરી છે.
એચપીવી સામે રસીકરણ અને નિયમિત પરીક્ષણ આ રોગને અટકાવી શકે છે. આ સિવાય સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવા માટે રસીકરણ જરૂરી છે. પ્રારંભિક તબક્કામાં આ બ્લોકેજને પકડીને, દર્દીનો જીવ બચાવી શકાય છે. જોખમી પરિબળો અને લક્ષણોને સમજવું તેમજ આ નિવારક પગલાં વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.
Published On - 1:49 pm, Fri, 2 February 24