
કદાચ તમે બધા નાભિના ખસવા વિશે જાણો છો. આપણે તેને પેચોટી નામથી ઓળખી છીએ. આ વસ્તુને સ્લિપિંગ ઓફ ધ સ્ફિયર પણ કહેવાય છે. લોકો મોટે ભાગે એવું કહેતા સાંભળવા મળે છે કે આ કામ કરવાને કારણે મારી પેચોટી ખસી ગઇ છે. આ પછી, લોકો પેટમાં દુખાવો, ગભરાટ અને ઉબકાની ફરિયાદ કરે છે. નાભિના સ્થાને નાભિને ઉપર અથવા નીચે તરફ ખસેડવાને પેચોટી ખસવું કહેવામાં આવે છે. ભારે સમાન ઉપાડવો, અચાનક વળવું, સીડી ચડવું, વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી જેવી સ્થિતીમાં નાભી ખસવાની સમસમ્યા બની શકે છે.
જે લોકો લાંબા સમય સુધી એક પગ પર દબાણ સાથે ઉભા રહે છે અથવા વજન ઉપાડતી વખતે એક બાજુ પર ખૂબ દબાણ આવે, નાભિ અવ્યવસ્થિત થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, જેમ કરોડરજ્જુમાં વળાંક આવી શકે છે, તેવી જ રીતે નાભિ અને પેટના સ્નાયુઓ પણ વળી શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે નાભિ તેની જગ્યાએથી ખસી જાય છે અને ઉપર અથવા નીચે જાય છે.
જો નાભિ નીચેની તરફ સરકી જાય તો તેનાથી ઝાડા અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. જો નાભી ઉપર તરફ ખસવા લાગેતો તમને ઉલટી, ઉબકા, ગભરાટ અથવા કબજિયાતનો અનુભવ થઈ શકે છે. તેનાથી પેટમાં દુખાવો પણ થઇ શકે છે. જો સ્ત્રીની ખસી જાય તો, તો તેનું માસિક ચક્ર અનિયમિત થઈ શકે છે. કેટલીકવાર આ લક્ષણો અન્ય કારણોસર પણ થઈ શકે છે.
દીવાના ઉપયોગથી પણ ઉપાય કરી શકાય છે. આ માટે જમીન પર સૂઈ જાઓ અને પછી દીવામાં તેલ નાખીને દીવો કરતી વખતે તેને નાભિની વચ્ચે રાખો. આ દીવા પર એક ગ્લાસ મૂકો અને ગ્લાસ પર થોડું દબાણ કરો જેથી હવા બહાર ન આવે. દીવાની અંદર બનેલી વરાળને કારણે કાચ નાભિ પર ચોંટી જશે. હળવા હાથે ઉપાડશો તો ત્વચા પણ ઉપર આવશે. હવા બહાર આવશે અને નાભિની ત્વચા સામાન્ય સ્થિતિમાં આવી જશે. નાભિ પર દબાણ લગાવવાથી તે યોગ્ય જગ્યાએ આવી જશે.કેટલાક યોગાસનો પણ રાહત આપી શકે છે. ભુજંગાસન, વજ્રાસન, ચક્રાસન, ધનુરાસન, મકારાસન અને મત્સ્યાસન નાભિની લપસણી માટે મદદરૂપ છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Published On - 2:22 pm, Sat, 24 February 24