Weight Loss: આ ત્રણ ખોરાક એવા છે જેને ભરપેટ ખાધા પછી પણ નહીં વધે તમારું વજન, બસ ધ્યાનમાં રાખો આ એક વાત

|

Apr 06, 2022 | 7:34 AM

આ લેખમાં અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું, જે પૂરતા પ્રમાણમાં ખાધા પછી પણ તમારું વજન નહીં વધે. જો કે, કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેને ખાતી વખતે તેની માત્રાને ધ્યાનમાં રાખો.

Weight Loss: આ ત્રણ ખોરાક એવા છે જેને ભરપેટ ખાધા પછી પણ નહીં વધે તમારું વજન, બસ ધ્યાનમાં રાખો આ એક વાત
Weight loss tips (Symbolic Image )

Follow us on

વજન(Weight ) વધવું એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને ગંભીર રોગોનું મહત્વનું કારણ પણ ગણી શકાય. વધતા વજનને નિયંત્રણમાં(Control ) રાખવું કોઈ કામથી ઓછું નથી. વજન ઓછું કરવા લોકો વર્કઆઉટ(Workout ) અને એક્સરસાઇઝ કરે છે. ઉપરાંત, તેઓ ઉનાળા માટે આહાર યોજનાને અનુસરે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાંતોના મતે, વજન ઘટાડવાના પ્રયાસમાં, લોકો દિનચર્યામાં કેટલીક એવી આદતોનો સમાવેશ કરે છે, જેના કારણે શરીરમાં પોષણની ઉણપ થઈ શકે છે. પોષક તત્વોની ઉણપને કારણે ચક્કર આવવા, નબળાઈ અને અન્ય સમસ્યાઓ થવા લાગે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ખાવા પીવાનું છોડી દેવાને બદલે એવી વસ્તુઓ કે ખાદ્યપદાર્થો ખાવા જોઈએ જેનાથી વજન ન વધે.

આ લેખમાં અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું, જે પૂરતા પ્રમાણમાં ખાધા પછી પણ તમારું વજન નહીં વધે. જો કે, કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેને ખાતી વખતે તેની માત્રાને ધ્યાનમાં રાખો. જાણો એ ખોરાક વિશે.

દહીં

તેને હળવા ખોરાક તરીકે ઓળખવામાં આવે છે અને તેથી ડૉક્ટરો પણ દિવસમાં એકવાર દહીં ખાવાની ભલામણ કરે છે. દહીંના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ જે વજન ઘટાડવામાં મદદરૂપ છે, તો ચાલો તમને જણાવીએ કે તે ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર છે. તેનાથી તમારા દાંત અને હાડકા મજબૂત બને છે. તેમાં રહેલા સૂક્ષ્મજીવો આપણા શરીર માટે ફાયદાકારક છે. દહીં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ વાત એ છે કે તે ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગોળ

ઉનાળો હોય કે શિયાળો દરેક ઋતુમાં ગોળનું સેવન કરવું ફાયદાકારક છે. જો તમે ઉનાળામાં કંઇક હલકું ખાવા માંગતા હોવ તો ગોળના શાકને રૂટીનનો ભાગ બનાવો. તેનું સેવન કરવાથી શરીરમાં વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે. કહેવાય છે કે તેને ખાવાથી આખો દિવસ શરીરમાં એનર્જી બની રહે છે. આ સાથે તે આપણી પાચનતંત્રને પણ સ્વસ્થ બનાવે છે.

લીંબુ

વજન ઘટાડવા માટે તેને શ્રેષ્ઠ ઘટક માનવામાં આવે છે અને તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ પણ પૂરી થાય છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનની સમસ્યા લોકોને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તેઓ લીંબુના રસમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરીને થોડું હાઈડ્રેટ રાખી શકે છે. લીંબુમાં વિટામિન સી ઉપરાંત વિટામિન બી-6, ફોલેટ અને વિટામિન ઇ પણ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Acidity Problem : કયા કારણોથી થાય છે એસીડીટી ? કેવી રીતે તેને દૂર કરી શકાય ?

Chaitra Navratri 2022 : નવરાત્રીના ઉપવાસ દરમિયાન હાઈડ્રેટ રહેવા માટે આ હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article