આજે National Dengue Day 2022 : ડેન્ગ્યૂ થયો હોય તો જ લઈ શકાય છે રસી, તાવના નિવારણ અને સારવાર માટે આ છે ઉપાય

|

May 16, 2022 | 1:11 PM

Food and Drug Administration( FDA)ની  ડેન્ગ્યુને ડામવા માટેની અધિકૃત રસી ડેન્ગવેક્સિયા વર્ષ 2019થી આપવામાં આવે છે. જોકે આ રસી એવા કિશોરોને આપવામાં આવે છે જેની વય 9થી 16 વર્ષની છે

આજે National Dengue Day 2022 : ડેન્ગ્યૂ થયો હોય તો જ લઈ શકાય છે રસી, તાવના નિવારણ અને સારવાર માટે આ છે ઉપાય
Today National Dengue Day 2022:

Follow us on

National Dengue Day 2022: દર વર્ષે 16 મેના રોજ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવાામાં આવે છે. અને આ દિવસ મચ્છરજન્ય રોગ અને  તાવ (Feaver)વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. આ અભિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (National health and family welfare ministry)દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ડેન્ગ્યુ તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારી અને બીમારી અને પીળીયા તાવનું કારણ બને છે.

મચ્છરજન્ય રોગથી થતા તાવમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધ્યું છે. ગંભીર પ્રકારના ડેન્ગ્યુમાં જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધારે છે. વળી તે અન્ય વિવિધ રોગોનું કારણ પણ બને છે. આ તાવથી પીડિત લોકોમાં ઘણી વાર લોકોને ખબર નથી પડતી કે આ ચેપજન્ય અને ગંભીર તાવ છે. ૉ

દર વર્ષે, વિશ્વભરમાં અંદાજે 400 મિલિયન લોકોનો ડેન્ગ્યુનો  ચેપ  લાગે  છે, જેમાંથી લગભગ 96 મિલિયન ગંભીર રોગમાં પરિણમે છે. મોટાભાગના કિસ્સાઓ વિશ્વના ઉષ્ણકટિબંધીય ભાગોમાં જોવા મળે છે. તેમજ ડેન્ગ્યુના હળવા લક્ષણો જેવા કે તાવ, દુખાવો, અને ફોલ્લીઓને લોકો સામાન્ય ગણી કાઢે છે જે ઘણી વાર લાંબા ગાળે હાનિકારક બની શકેછે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ડેન્ગ્યુના તાવના લક્ષણો

લક્ષણો, જે સામાન્ય રીતે ચેપ લાગવાના ચારથી છ દિવસ પછી દેખાય છે અને દસ દિવસ સુધી ચાલુ રહી શકે છે, આ પ્રકારના લક્ષણોમાં  નીચેનાનો સમાવેશ થઈ શકે છે.

  1. કોઈ પણ ચિહ્નો વિના અચાનક આવી ગયેલો તાવ
  2. માથાનો અતિશય દુખાવો
  3. આંખ પાછળથતો દુખાવો
  4. સાંધાનો અને સ્નાયુઓમાં થતો પીડાદાયક દુખાવો
  5. થાક અથવા ઉબકા
  6. ઉલટી
  7. ત્વચા પર ફોલ્લીઓ કે જે તાવ શરૂ થયાના બે થી પાંચ દિવસ પછી થાય છે.

તાવ નિવારણનો ઉપાય

તાવ નિવારણનો પ્રાથમિક ઉપાય છે કે મચ્છરથી બચવું. મચ્છરોના સંદર્ભે વાત કરીએ તો તમે જો ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં રહેતા હો તો સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. જેમાં મચ્છરો ઉદભવે છે તેવા વાસણો જેવા કે,ડોલ, બાઉલ, ફૂલદાની, પાણી ભરાઈ રહેતું હોય તેવા કૂલર વગેરે જેવી વસ્તુઓમાંથી પાણી દૂર કરી તેને તડકામાં તપાવીને સ્વચ્છ કરવી. ખાસ તો અસ્વચ્છ પાણીનો સંગ્રહ ટાળવો.

ડેન્ગ્યુના તાવમાં થતી સારવાર

Food and Drug Administration FDAની અધિકૃત રસી ડેન્ગવેક્સિયા વર્ષ 2019થી આપવામાં આવે છે. જોકે આ રસી એવા કિશોરોને આપવામાં આવે છે જેની વય 9થી 16 વર્ષની છે તેમજ આ વયના એવા કિશોરો જેઓ ડેન્ગ્યૂનો બોગ બની ચૂક્યા છે. જોકે હાલમાં ડેન્ગ્યૂ થતા પહેલા તેને અટકાવવા માટેની કોઈ રસી ઉપલબ્ધ નથી.

જો તમને શંકા હોય કે તમને ડેન્ગ્યુનો તાવ છે, તો એસિટામિનોફેન ધરાવતી દવા લઈ શકાય ચે.જેને સામાન્ય રીતે પેરાસિટામોલ તરીકે ઓળખવામાં આવે છે . આ  પ્રકારના તાવમાં એસ્પિરિન ધરાવતી દવાઓ ટાળો.  આ ઉપરાંત હાઇડ્રેટેડ રહેવા માટે   પાણી સહિત અન્ય પ્રવાહીનું પુષ્કલ માત્રામાં સેવન કરવું જોઈએ. સાતે જ પૂરતો આરામ  પણ કરવો જોઈએ.

ડેન્ગ્યુ તાવ નિવારણ માટે આ પ્રકારના વિવિધ તબીબી પગલાં લઈ શકાય છે. જોકે ડેન્ગ્યૂનો ગંભીર તાવ એ એક પ્રકારની ઘાતક કટોકટી બની શકે છે. માટે તાવમાં સુધારો ન થાય તો વિના વિલંબે ડોક્ટરની મદદ લેવી જોઈએ. અને દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવો જોઈએ.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

 

Next Article