ઘણીવાર લોકોને પેટમાં(Stomach ) દુખાવો થાય છે, જેની પાછળ પેટનું અલ્સર(Ulcer ) પણ જવાબદાર હોય શકે છે. જોકે પેટનું અલ્સર પેપ્ટીક અલ્સરનો જ એક પ્રકાર છે. જેમાં, નાના આંતરડાના મ્યુકોસ લાઇનિંગ અને ફૂડ પાઇપમાં અલ્સર થાય છે. પેટમાં અલ્સર ત્યારે થાય છે જ્યારે પેટમાં અતિશય માત્રામાં એસિડ જમા થાય છે અને તે પેટમાં લાળના જાડા પડને પાતળું કરી નાંખે છે. આ લાળ સામાન્ય રીતે આંતરિક અવયવોને વધારાના એસિડના નુકશાનથી રક્ષણ આપવાનું કામ કરતુ હોય છે.
જ્યારે આ સ્તર નબળું પડે છે, ત્યારે પેટના એ પાતળા બનેલા સ્તર પર ચાંદા અથવા ફોલ્લીઓ બની શકે છે અને તે અલ્સર તરફ દોરી શકે છે. એ જ રીતે, અલ્સરના બીજા અન્ય કારણો પણ છે જેમ કે હેલિકોબેક્ટર પાયલોરી (એચ. પાયલોરી) નામના બેક્ટેરિયાથી થતો ચેપ અને અમુક બળતરા વિરોધી દવાઓના લાંબા સમય સુધી ઉપયોગ કરવાના કારણે પણ પેટમાંઅલ્સર થઈ શકે છે.
પેટમાં અતિશય પીડા
અચાનક વજન ઘટી જવું
ખાવામાં મુશ્કેલી ઉભી થવી
ઉબકા અને ઉલટી આવવા
પેટનું ફૂલવું
શરુર સંપૂર્ણ અને ભારે લાગે છે
ખાટા ઓડકાર
એસિડિટીની સમસ્યા
ઉલ્ટીમાં લોહી પડવું
હાર્ટ બર્ન થવું
પેટના અલ્સરના લક્ષણોમાં રાહત મેળવવા માટે તમે ગાજરના રસને કોબીજના રસમાં ભેળવીને તેનું સેવન કરો. પણ યાદ રાખો બંને શાકભાજીનો રસ સમાન માત્રામાં હોવો જોઈએ.
એકથી બે ચમચી વરિયાળીને પીસીને પાવડર બનાવો. અને આ પાવડરને 2 લિટર પાણીમાં ઓગાળી લો. આ પાણીને દિવસમાં બને તેટલી વખત પીવો.
અડધા કપ દૂધમાં અડધો લીંબુનો રસ દૂધ સાથે નીચોવી લો. તે પછી, તેને નિયમિત પીવો. રોજિંદા રીતે આમ કરવાથી પેટના અલ્સરના લક્ષણોમાં આરામ મળે છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)