
મેરિનો કહે છે કે કોરોના સંક્રમણને સમાપ્ત કરવા માટે આહારમાં સુધારો કરવાની જરૂર છે. આ માટે લીલા શાકભાજી અને ફળો જેવા છોડ આધારિત આહાર લેવો જરૂરી છે. સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો ભૂખ સંતોષવા માટે મોટાભાગે ફાસ્ટ ફૂડ પર નિર્ભર હોય છે, તેમને કોરોના સંક્રમણ થવાની સંભાવના વધુ હોય છે.

ભારત, ઓમિક્રોન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના નવા અને ખતરનાક વેરિઅન્ટની શોધ બાદ નિષ્ણાતોનું માનવું છે કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો તે ચોથી લહેર લાવી શકે છે. દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ઓમિક્રોનને રોગપ્રતિકારક શક્તિને અસર કરતો વાયરસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રકાર રસીની અસરકારકતા ઘટાડી શકે છે.