વરસાદી પાણીથી વધી શકે છે કોલેરાનો ખતરો, જાણો કોલેરાથી બચવાના ઉપાયો

|

Jul 10, 2023 | 4:38 PM

ડોકટરોનું કહેવું છે કે ચેપગ્રસ્ત ખોરાક અને પાણીને કારણે વી કોલરી બેક્ટેરિયા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે શરીરમાં પ્રવેશ્યા બાદ પાંચથી છ કલાકમાં કોલેરાના લક્ષણો દેખાવા લાગે છે. કોલેરા પેદા કરતા બેક્ટેરિયા ગંદા પાણી, દરિયાઈ ખોરાક અને કાચા ફળોમાં હોય છે.

વરસાદી પાણીથી વધી શકે છે કોલેરાનો ખતરો, જાણો કોલેરાથી બચવાના ઉપાયો

Follow us on

Cholera Diseases: વરસાદી (Rain) વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે. તેથી લોકો બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બને છે. વરસાદમાં વી. કોલરી નામનો બેક્ટેરિયા પણ ખૂબ એક્ટિવ થઈ જાય છે. આ બેક્ટેરિયાના કારણે લોકો કોલેરાનો શિકાર બને છે. કોલેરાના ચેપ પછી શરીરમાં પાણીની અછત થાય છે. જો ટુંક સમયમાં સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે.

ડોકટરોનું કહેવું છે કે ચેપગ્રસ્ત ખોરાક અને પાણીને કારણે વી કોલરી બેક્ટેરિયા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે શરીરમાં પ્રવેશ્યા બાદ પાંચથી છ કલાકમાં કોલેરાના લક્ષણો દેખાવા લાગે છે. કોલેરા પેદા કરતા બેક્ટેરિયા ગંદા પાણી, દરિયાઈ ખોરાક અને કાચા ફળોમાં હોય છે.

તેના દ્વારા તે માનવ શરીરમાં પ્રવેશ કરે છે. ગળામાંથી આ બેક્ટેરિયા આંતરડામાં જાય છે અને પેટમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. આ રોગનો ચેપ લાગ્યા પછી જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. ચાલો નિષ્ણાતો પાસેથી આ રોગ વિશે વિગતવાર જાણીએ.

નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?
Calcium For Health: કેવી રીતે ખબર પડે છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે?

આ પણ વાંચો:

કોલેરાના લક્ષણો શું છે

સફદરજંગ હોસ્પિટલના ડો. દીપક સુમન જણાવે છે કે કોલેરાના બેક્ટેરિયા આંતરડામાં પ્રવેશ્યા પછી થોડા સમય પછી લક્ષણો દેખાવા લાગે છે. જુદા જુદા લોકોમાં લક્ષણોના દેખાવના સમયગાળામાં તફાવત હોઈ શકે છે. કોલેરામાં શરૂઆતમાં ઝાડા થાય છે, જે સતત ઘણા દિવસો સુધી ચાલુ રહે છે. આવી સ્થિતિમાં જો કોઈને ડાયેરિયાની સમસ્યા થઈ રહી હોય તો તેને હળવાશથી ન લેવા જોઈએ. આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો.

ઉલટી અને વધારે તરસ લાગવી

ઉલ્ટી અને વધુ પડતી તરસ પણ આ રોગનું મોટુ લક્ષણ છે. ખાસ કરીને જો તમે એવા વિસ્તારમાં હોવ કે જ્યાં આસપાસ ખૂબ ગંદકી અથવા ગંદુ પાણી હોય તો ઉલ્ટી થવી એ કોલેરાની મોટી નિશાની હોઈ શકે છે. જો આ સમસ્યા સતત ચાલુ રહે છે તો તમારે સારવાર લેવી જોઈએ.

ઉલ્ટી સિવાય જો તમને વધુ પડતી તરસ લાગે છે તો આ પણ કોલેરાનું લક્ષણ છે. કારણ કે કોલેરાના કારણે શરીરમાંથી પાણી સુકાઈ જાય છે. જેના કારણે પાણીની અછત અને તરસ વધે છે.

કોલેરાથી આ રીતે બચો

  1. સ્વચ્છતાનું ધ્યાન રાખો
  2. હાથ સારી રીતે ધોઈને ખાવાની વસ્તુઓ ખાઓ
  3. ગંદા પાણીના સંપર્કમાં આવવાનું ટાળો
  4. લાંબા સમય સુધી પાણી ખુલ્લું હોય તો પાણી ન પીવો

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article