
આજની ભાગદોડભરી જિંદગીમાં વૉકિંગ કરવું એ લોકો માટે એક ‘ટાસ્ક’ બની ગયું છે. પહેલાના સમયમાં લોકો અજાણતા જ દિવસમાં હજારો ડગલાં ચાલી નાખતા અને લાંબુ આયુષ્ય ભોગવતા. આજે લોકો હાથમાં સ્માર્ટવોચ પહેરીને 10,000 ડગલાં પૂરા કરવાની જદ્દોજહદમાં લાગેલા છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર આ આંકડો પૂરો કરવાથી તમે સ્વસ્થ થઈ જશો?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડગલાં ગણવા કરતાં શરીરને સક્રિય રાખવું વધુ મહત્વનું છે. W.H.O ના આંકડા ચોંકાવનારા છે; દુનિયામાં દર વર્ષે 32 લાખથી વધુ લોકો શારીરિક નિષ્ક્રિયતાને કારણે જીવ ગુમાવે છે. સ્માર્ટવોચ પર આવતું ‘ગોલ કમ્પ્લીટેડ’નું નોટિફિકેશન તમને માનસિક સંતોષ આપી શકે છે, પણ સ્વાસ્થ્ય માટે ચાલવાની રીત અને સાતત્ય વધુ જરૂરી છે.
રોજ માત્ર 1 કલાક ચાલવાથી શરીરમાં અનેક સકારાત્મક ફેરફાર થાય છે:
કલાકો સુધી બેસી રહેવું કે સતત ઊભા રહેવું એ નસોના ગૂંચળા એટલે કે વેરિકોઝ વેન્સનું મુખ્ય કારણ છે. તેનાથી બચવા માટે સ્વામી રામદેવે કેટલાક રામબાણ ઉપાયો સૂચવ્યા છે:
એક રિપોર્ટ અનુસાર, દુનિયાના આળસુ દેશોની યાદીમાં ભારત 8મા ક્રમે છે, જ્યાં સરેરાશ વ્યક્તિ દિવસના માત્ર 4297 ડગલાં ચાલે છે. જે ઈન્ડોનેશિયા કે સાઉદી અરેબિયા કરતા થોડું જ સારું છે.
નિષ્કર્ષ એ છે કે જીવન ચાલવાનું નામ છે. સવાર કે સાંજ, ગમે ત્યારે સમય ફાળવો પણ ઉદ્દેશ્ય માત્ર મશીનને ખુશ કરવાનો નહીં, પરંતુ શરીરના દરેક અંગને જીવંત રાખવાનો હોવો જોઈએ.