દૂધ નથી પીતા? તો આહારમાં રાગીનો કરો સમાવેશ, જાણો તેના 5 અમુલ્ય ફાયદા

|

Sep 22, 2021 | 11:47 PM

રાગી એક એવો ખાદ્ય પદાર્થ છે, જેમાં કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જો તમે ડેરી ઉત્પાદનોને પચાવી શકતા નથી, તો પછી રાગી એક ઉત્તમ વિકલ્પ છે. આ સિવાય રાગીના ઘણા ફાયદા છે. આ ફાયદાઓ વિશે જાણો.

દૂધ નથી પીતા? તો આહારમાં રાગીનો કરો સમાવેશ, જાણો તેના 5 અમુલ્ય ફાયદા
Include ragi in your diet to fulfil calcium, and know the deficiency 5 miraculous benefits of ragi

Follow us on

કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ મહત્વનું છે. કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે, દૂધ અને ડેરી ઉત્પાદનો લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે દૂધ ન પીતા હો અથવા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમારે તમારા આહારમાં રાગીના લોટનો સમાવેશ કરવો જોઈએ.

રાગી એક એવી બિન-ડેરી પ્રોડક્ટ છે, જેમાં કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તમે રાગીના લોટને પીસીને તેને ઘઉંના લોટમાં 7: 3 ના પ્રમાણમાં ભેળવી શકો છો અને તેનો ઉપયોગ ખોરાકમાં કરી શકો છો. આ સિવાય તેને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે. પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર, રાગી સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. જાણો તેના બેજોડ ફાયદાઓ.

રાખડીના 5 અદભૂત ફાયદા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓસ્ટીયોપોરોસિસ નિવારણ

રાગીમાં અન્ય કોઈપણ અનાજ કરતાં વધુ કેલ્શિયમ હોય છે. આ કારણે, તે હાડકાં માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તેને નિયમિત રીતે આહારમાં સામેલ કરવામાં આવે તો તે શરીરને ઓસ્ટીયોપોરોસિસના જોખમથી બચાવે છે અને દાંતને મજબૂત બનાવે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે

જો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે, તો રાગી તમારા માટે ખૂબ મદદરૂપ છે. કોલેસ્ટરોલ શરીરમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. રાગીમાં ડાયેટરી ફાઇબર અને ફાયટીક એસિડ હોય છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

રાગીમાં ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો હોય છે, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. શરીરમાં ગ્લુકોઝનું વધતું સ્તર રાગીના નિયમિત સેવનથી નિયંત્રિત કરી શકાય છે.

એનિમિયા અટકાવે છે

ભારતમાં મોટાભાગની મહિલાઓ એનિમિયાથી પીડિત છે. રાગીમાં ઘણું આયર્ન હોય છે, આવી સ્થિતિમાં તેના સેવનને કારણે શરીરમાં લોહી ઝડપથી બને છે અને એનિમિયા જેવી સમસ્યાઓ અટકે છે.

રાગી તણાવ ઘટાડે છે

રાગી એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ છે જે તણાવ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આજના સમયમાં તણાવની સમસ્યા ખૂબ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આવી સ્થિતિમાં રાગીને આહારમાં નિયમિતપણે સામેલ કરવી જ જોઇએ.

 

આ પણ વાંચો: Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ ખાધા પછી જરૂર કરો આ 6 કામ, નહીંતર થઈ શકે છે મોટી સમસ્યાઓ

આ પણ વાંચો: સોનુ સૂદે અમદાવાદની એક હોટલમાં AAP ના કાર્યકરો સાથે કરી બંધ બારણે બેઠક, શું સૂચવે છે આ ખાનગી મિટિંગ?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article