Immunity booster : ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી અને કાળા મરીના ઉકાળાનું સેવન કરો

|

Aug 12, 2021 | 10:35 AM

સંક્રમણ સામે લડવા માટે આ એક આયુર્વેદિક ઘરેલુ સારવાર છે, તે મોસમી સંક્રમણ અને અન્ય બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

Immunity booster : ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી અને કાળા મરીના ઉકાળાનું સેવન કરો
ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી અને કાળા મરીના ઉકાળાનું સેવન કરો

Follow us on

Immunity booster : ગરમીથી છૂટકારો મેળવવા ઉપરાંત ચેપ, ફ્લૂ અને શરદી થવાનો પણ થઈ શકે છે. ચોમાસાના દિવસમાં સિઝનમાં બીમારીઓ, ભેજ વાળા વાતાવરણ અને અસ્વચ્છ સ્થિતિના કારણે તમારી ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. આ સમસ્યા સામે લડવા માટે તમારે ઈમ્યુનિટી બૂસ્ટની (immunity booster)જરૂર હોય છે.

સંક્રમણ સામે લડવા માટે એક સારો ઉપાય છે.આ આયુર્વેદિક ઘરેલુ સારવાર છે. તે મૌસમી સંક્રમણ અને અન્ય બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. કાળા મરી (Black pepper)એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથો ભરપુર હોય છે.આ સંક્રમણને દૂર દૂર કરવામાં મદદ કરે છે. જે ઈજા અને શરીરમાં થતી અન્ય બીમારી સામે લડવા માટે પણ મદદ કરે છે. વિટામિન સી (Vitamin C) થી ભરપુર હોય છે.જે ઇન્ડબાયોયોટિકના રૂપે કામ કરે છે.

તુલસી (Tulsi)ને આયુર્વેદમાં ઔષધીયની જડ્ડી બુટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જે તણાવ દૂર કરવામાં મદદ કરે છે.તુલસીમાં એન્જોયસીડન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-એજિંગ ગુણો હોય છે. જે હાનિકારક રેડિકલ્સ સામે લડે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તેનો ઉકાળામાં તરીકે સેવન કરવા માટેની સાચી જડ્ડી બુટી છે કારણ કે, શરદી, ઉધરસ,ગળામાં બળતરા થવી તમામની સારવાર માટે મદદ કરે છે.ઈમ્યુનિટી બુસ્ટર (immunity booster)અને ઈન્ફેક્શન (Infection)સામે લડવાના ગુણો ભરપુર હોય છે. માટે ચાલો જાણીએ હેલ્ધી ઉકાળો કેવી રીતે બનાવી શકીયે.

તુલસી અને કાળા મરીનો ઉકાળો બનાવવાની રીત

સામગ્રી

  • આદું
  • લવિંગ 4-5
  • કાળા મરી 1 પીસેલા
  • તુલસીના પાંદડા 5-6
  • મધ ½
  • તજ

કેવી રીતે તૈયાર બનાવવામાં આવે છે

એક વાસણમાં પાણીને ઉકાળો.જ્યારે પાણીમાં ગરમ થઈ જાય ત્યારે આદું, લવિંગ ,કાળા મરી અને તજને ક્રશ કરી લો. ત્યારબાદ ગરમ પાણીમાં તુલસીના પાંદડા સાથે તમામ ક્રશ કરેલી સામગ્રી નાંખો, જેને ધીમા કાપે અંદાજે 30 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગરમા ગરમ પીરસો.

મધ,(Honey) આદું અને લવિંગનો ઉપયોગ ઈમ્યુનિટી વધારવા માટે કરવામાં આવે છે. જે પાચન તંત્ર માટે પણ ફાયદાકારક હોય છે અને ડાયાબિટીસ (Diabetes)ને નિંયત્રિત કરવામાં પણ મદદ કરે છે. આના એન્ટીઓક્સીડન્ટ ગુણ થાક સામે લડવા તેમજ ઉર્જાનું સ્તર વધારવા માટે મદદ કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Benefits of Cashew : ત્વચા, વાળ અને આંખો માટે કાજુના ફાયદા વિશે જાણો

Next Article