ટામેટા ખાવામાં ધ્યાન રાખજો: આ 6 સમસ્યા ધરાવતા વ્યક્તિઓ માટે ટામેટા છે ઝેર! જાણો વિગત

|

Aug 22, 2021 | 2:14 PM

ટમેટા ત્વચા, હૃદય, આંખો અને વજન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. પરંતુ ઘણા ફાયદા હોવા છતાં, તેની કેટલીક આડઅસરો પણ છે.

ટામેટા ખાવામાં ધ્યાન રાખજો: આ 6 સમસ્યા ધરાવતા વ્યક્તિઓ માટે ટામેટા છે ઝેર! જાણો વિગત
If you have these Health problems then do not eat tomatoes

Follow us on

ટામેટા એક એવી શાકભાજી છે, જેનો ઉપયોગ અન્ય શાકભાજી, વાનગીઓ વગેરે બનાવતી વખતે સૌથી વધુ થાય છે. ટામેટાંનું સેવન સલાડ અથવા સૂપના રૂપમાં પણ થાય છે. જો ઘરમાં શાકભાજી ખતમ થઈ જાય તો ટામેટાની ચટણી ઝડપથી તૈયાર કરી શકાય છે અને તેની મદદથી પેટ ભરીને ભોજન પણ ખાઈ શકાય છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ટામેટા ખૂબ ફાયદાકારક હોવાનું કહેવાય છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને સ્નાયુઓમાં દુખાવો થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જાય છે. તેથી જ વડીલો તેને દુઃખના દુશ્મન કહે છે. આ સિવાય ટમેટા ત્વચા, હૃદય, આંખો અને વજન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. પરંતુ ઘણા ફાયદા હોવા છતાં, તેની કેટલીક આડઅસરો પણ છે. અહીં જાણો કયા લોકોએ ટામેટા ખાવાનું ટાળવું જોઈએ.

કિડમાં પથરીનું જોખમ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટામેટાંનો વધુ પડતો ઉપયોગ કિડનીમાં પથરી થવાનું જોખમ વધારે છે કારણ કે ટામેટાંમાં કેલ્શિયમ ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે. વધુ માત્રામાં ટામેટા ખાવાથી શરીરમાં કેલ્શિયમ ઓક્સાલેટનું પ્રમાણ વધે છે અને તે પથરી સ્વરૂપ ધારણ કરે છે. નિષ્ણાતો એમ પણ માને છે કે 90 ટકા લોકોમાં કિડનીમાં કેલ્શિયમ ઓક્સાલેટ પથરી હોય છે. આ સિવાય જે લોકોને પહેલેથી જ પથરીની સમસ્યા છે, તેમણે ખાસ કરીને ટામેટાનું સેવન ટાળવું જોઈએ.

ઝાડાની સમસ્યા

જો ઝાડાની સમસ્યા હોય તો ટામેટાનું સેવન ટાળવું જોઈએ. તેમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોય છે, જે ઝાડાની સમસ્યા વધારવાનું કામ કરે છે. સામાન્ય રીતે ફિટ રહેવા માટે, દરેક વસ્તુ મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ.

લાઇકોપેનોડર્મિયા

ટામેટાંમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે આપણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. પરંતુ જો શરીરમાં લાઇકોપીનની માત્રા ખૂબ વધારે હોય તો લાઇકોપેનોડર્મિયા નામની સમસ્યા થઇ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં ત્વચા રંગહીન બની જાય છે. આ સમસ્યાથી બચવા માટે, માત્ર અમુક મર્યાદા સુધી ટામેટાંનું સેવન કરો અને લાઇકોપેનોડર્મિયાના કિસ્સામાં, નિષ્ણાત દ્વારા સલાહ લો.

સાંધાનો દુખાવો

જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા છે, તેમના માટે ટામેટાંનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં, ટામેટાંમાં સોલાનિન નામની આલ્કલી હોય છે, જે સાંધાનો દુખાવો અથવા સોજો વધારી શકે છે.

પાચન સમસ્યાઓ

ટામેટાંમાં મૈલિક અને સાઇટ્રિક એસિડ હોય છે, જે પેટમાં પાચન સમસ્યાઓ પેદા કરી શકે છે. આને કારણે, ગેસ રચના, હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, માત્ર મર્યાદિત માત્રામાં ટામેટાં ખાઓ.

એલર્જી સમસ્યા

કેટલીકવાર ટામેટાંના વધુ પડતા સેવનથી ત્વચા પર એલર્જી, ફોલ્લીઓ, ચહેરા પર સોજો વગેરે પણ આવી શકે છે કારણ કે તેમાં હિસ્ટામાઇન નામનું સંયોજન હોય છે. હિસ્ટામાઇનને કારણે આવી સમસ્યાઓ આવી શકે છે.

 

આ પણ વાંચો: Tiger 3 ના સેટ પરથી સલમાનનો નો લુક થયો લીક, જોઈને ફેન્સ બોલ્યા “શું લૂક છે ભાઈજાન”, જુઓ તસ્વીર

આ પણ વાંચો: Chiranjeevi Net Worth: સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી પાસે છે અધધધ સંપત્તિ, ફિલ્મો સાથે રાજનીતિમાં પણ હીટ

Next Article