ઓછી ઊંઘ નોંતરી શકે છે ગંભીર બીમારીઓ, સારી ઊંઘ માટે જીવનમાં કરો આ બદલાવ

|

Nov 04, 2021 | 9:42 AM

સ્વસ્થ રહેવા માટે સારા ખાણી-પીણીની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ ન આવવાને કારણે તમે ચિડિયાપણું અનુભવો છો અને દિવસભર થાક અનુભવો છો. તેથી દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

ઓછી ઊંઘ નોંતરી શકે છે ગંભીર બીમારીઓ, સારી ઊંઘ માટે જીવનમાં કરો આ બદલાવ
Home remedies for insomnia to get good sleep

Follow us on

આપણે બધા જાણીએ છીએ કે સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ આખા દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. પૂરતી ઊંઘ ન મળવાને કારણે તમે દિવસભર થાક અનુભવો છો. આ સિવાય અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આટલું જ નહીં, પૂરતી ઊંઘ ન લેવાથી સ્થૂળતા વધે છે.

કેટલાક લોકો તેની શરૂઆતમાં અવગણના કરે છે, જે ઘણી ગંભીર બીમારીઓને પ્રોત્સાહન આપે છે. કોરોનાના સમયગાળા દરમિયાન ઊંઘ ન આવવાની સમસ્યા વધુ વધી છે, જો તમે પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો, તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેને અપનાવવાથી તમને ફાયદો થશે.

ધ્યાન

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોઈ એકાંત જગ્યા પર બેસો અને ઊંડો શ્વાસ લો. તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસને અનુભવો. તમે આ પ્રક્રિયા દરરોજ 5 થી 20 મિનિટ સુધી કરી શકો છો. આનાથી તણાવ ઓછો થાય છે અને તમારી લાગણીઓને નિયંત્રિત કરી શકાય છે. મેડિટેશન કરવાથી તમને રાત્રે ઊંઘ આવે છે અને તમે કોઈપણ ટેન્શન વિના આરામ કરી શકો છો.

મંત્રો અને જાપ

મનને શાંત રાખવા માટે મંત્ર અને જાપ કરી શકાય છે. જાપ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો કોઈ મંત્રનો જાપ કરો. જો તમે કોઈ મંત્ર જાણતા ન હોવ તો ઓમનો જાપ કરો. આનાથી તમને સારું લાગશે અને રાત્રે સારી ઊંઘ આવશે.

યોગ કરો

યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા સ્નાયુઓને આરામ આપે છે તેમજ મનને શાંત રાખે છે. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો રોજ 20 મિનિટ યોગ કરો. વધુ સારા પરિણામો મેળવવા માટે, ચોક્કસપણે યોગ નિષ્ણાતની સલાહ લો. તેનાથી તમને વધુ ફાયદો થશે અને તમને સારી ઊંઘ આવશે.

વ્યાયામ

વ્યાયામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ છ મહિના સુધી 150 મિનિટ કસરત કરે છે, તો તેની ઊંઘમાં મોટો તફાવત આવે છે. દરરોજ વર્કઆઉટ કરવાથી તમે સ્વસ્થ રહે છે અને તમને રાત્રે સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે.

 

આ પણ વાંચો: વધતા પ્રદૂષણના જમાનામાં તમારા ફેફસાંનું રાખો ખાસ ધ્યાન, નહીં તો તમને થઇ શકે છે ફેફસાનું કેન્સર

આ પણ વાંચો: ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સાથે ઝીકા વાયરસનું જોખમ પણ વધ્યું, આ લક્ષણોથી ઓળખો આ ત્રણેય રોગને

Next Article