Health : શિવજીને ચડાવવામાં આવતા બીલીપત્રને કેમ કહેવાય છે અનેક રોગો માટે રામબાણ ઈલાજ

|

Oct 09, 2021 | 8:28 AM

ગરમ પાણીમાં બીલીપત્રના પાંદડાનો રસ મિક્સ કરો. તેમાં મધના થોડા ટીપાં ઉમેરો. આ દ્રાવણના નિયમિત સેવનથી લોહી શુદ્ધ થાય છે.

Health : શિવજીને ચડાવવામાં આવતા બીલીપત્રને કેમ કહેવાય છે અનેક રોગો માટે રામબાણ ઈલાજ
Health: Why is the bill being offered to Shivaji called amulet cure for many diseases

Follow us on

શિવલિંગ(Shivling) પર ચડાવવામાં આવતા બીલીપત્રના(Billipatra ) પાંદડા માત્ર ભગવાનની પૂજામાં જ ઉપયોગી(Useful ) નથી, પરંતુ તેના અન્ય ઘણા ફાયદા પણ છે. બીલીપત્રમાં પ્રોટીન, બીટા કેરોટિન, થાઇમીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી, તેમજ ઓર્ગેનિક સંયોજનો અને એન્ટીઓક્સીડેન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. નિર્જીવ અને શુષ્ક ત્વચામાં ચમક લાવવી હોય કે વાળને તંદુરસ્ત અને સુંદર બનાવવો હોય, બીલીપત્રના પાંદડા આમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.આજે અમે તમને જાણીતા કોસ્મેટોલોજિસ્ટ દ્વારા બીલીપત્રથી ત્વચા અને વાળને સ્વસ્થ કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવી રહ્યા છે.

બીલીપત્રના પાંદડાઓથી સુંદર ત્વચા મેળવો
ગરમ પાણીમાં બીલીપત્રના પાંદડાનો રસ મિક્સ કરો. તેમાં મધના થોડા ટીપાં ઉમેરો. આ દ્રાવણના નિયમિત સેવનથી લોહી શુદ્ધ થાય છે.
બીલીપત્રની મદદથી સફેદ ડાઘ મટાડી શકાય છે. તેના પલ્પમાં એક ખાસ તત્વ હોય છે, જે સૂર્યને સહન કરવાની ત્વચાની ક્ષમતા વધારે છે. આ સિવાય બીલીપત્રમાં કેરોટીન પણ છે અને આ બે તત્વો મળીને સ્કિન ટોન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીલીપત્રના દૈનિક ઉપયોગ સાથે, ચામડીના સફેદ ફોલ્લીઓ હળવા બને છે.તેના રસમાં જીરું મિક્સ કરીને પીવાથી પીટ્ટાની સાથે ત્વચા પરના ડાઘ અને ખંજવાળના નિશાન મટે છે.

બીલીપત્ર વાળ માટે ખૂબ ફાયદાકારક છે
તેના ફળની છાલ સાફ કરો, તેમાં તલનું તેલ અને કપૂર મિક્સ કરો અને તેલને રોજ માથા પર લગાવો, તેનાથી માથામાં જૂ નથી રહેતી. વાળ ખરતા અટકાવવા માટે બીલીપત્રનું સેવન કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. દરરોજ બીલીનું પાન ધોઈને ખાવ. આ સાથે તમે એક અઠવાડિયામાં તફાવત જોવાનું શરૂ કરશો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બીલીપત્ર અનેક રોગોમાં ફાયદાકારક છે
મધ અને ખાંડ સાથે બીલીના પાકેલા ફળ ખાવાથી શરીરના લોહીનો રંગ સાફ થાય છે, તેમજ લોહીમાં વધારો થાય છે.
બીલીના પાનનો રસ આખા શરીરમાં લગાવો અને એક કલાક પછી સ્નાન કરો, તેનાથી તમારા શરીરની દુર્ગંધ સમાપ્ત થશે.
વિટામિન સીની ઉણપથી સ્કર્વી થાય છે. બિલિના ફળ વિટામિન સીથી સમૃદ્ધ છે, તેના સેવનથી તમે સ્કર્વી રોગથી બચી શકો છો.
પાકેલા બીલીનો માવો પાણીમાં ઉકાળો. પાણીને ઠંડુ કરવું, તેની સાથે કોગળા કરવાથી તમારા મોંઢાનાં ચાંદા મટી જશે.
હૃદયના દર્દીઓ માટે બીલીપત્રનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે.બીલીપત્રનો ઉકાળો રોજ પીવાથી હૃદય હંમેશા મજબૂત રહેશે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જશે.
શ્વસન રોગોમાં પણ બિલીપત્ર કોઈ અમૃતથી ઓછું નથી. તેના પાનને પીસીને તેનો રસ બનાવો અને તેનું નિયમિત સેવન કરો, તેનાથી તમને ઘણો ફાયદો થશે.
તાવના કિસ્સામાં, બીલીપત્રનો ઉકાળો પીવાથી તાવ મટે છે.

આ પણ વાંચો : Health : ઘરના મસાલાના ડબ્બામાં છુપાયેલો છે વજન ઘટાડવાનો નુસખો, વાંચો કયો છે એ મસાલો ?

આ પણ વાંચો : તમારા વાળ જણાવશે તમારા આરોગ્યની સ્થિતી, આ સંકેતોને ઓળખો અને જાણો તમારા આરોગ્ય વિશે

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article