Health : અળસીના બીજનો ઉકાળો શરીર માટે કેમ છે ઉત્તમ ? આટલા ખાસ મિનરલ્સ મળી રહેશે

|

Sep 20, 2021 | 9:11 AM

અત્યારસુધી તમે ઘણા બધા કાઢા કે ઉકાળા પીધા હશે. પરંતુ અળસીના બીજનો ઉકાળો તમને વજન ઘટાડવા માટે ખુબ જ  ઉપયોગી સાબિત થઇ શકે છે. 

Health : અળસીના બીજનો ઉકાળો શરીર માટે કેમ છે ઉત્તમ ? આટલા ખાસ મિનરલ્સ મળી રહેશે
Health: Why is decoction of flax seeds good for the body?

Follow us on

અળસીના બીજમાં (Flax seeds )ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબર હોય છે જે વજન(Weight ) ઘટાડવા માટે જ નહીં પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્ય (Health )માટે પણ ફાયદાકારક છે. જો વર્ક ફ્રોમ કરવામાં તમારું વજન વધી ગયું છે. અને જો તમને ઘરે વર્કઆઉટ કરવા માટે સમય નથી મળી રહ્યો તો આ ઘરેલુ ઉપાય તમારા માટે કામ કરશે.

ફ્લેક્સસીડ્સ અથવા અળસીના બીજ , ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે જે વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે. અત્યારસુધી તમે ઘણા બધા કાઢા કે ઉકાળા પીધા હશે. પરંતુ અળસીના બીજનો ઉકાળો તમને વજન ઘટાડવા માટે ખુબ જ  ઉપયોગી સાબિત થઇ શકે છે.

અળસીના બીજનો ઉકાળો કેવી રીતે બનાવશો ? 

2 ચમચી ફ્લેક્સસીડ્સ એટલે કે અળસીના બીજ
2 કપ પાણી

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઉકાળો બનાવવાની રીત :

એક પેનમાં, 2 ચમચી અળસીના બીજ અને 2 કપ પાણી ઉમેરો. પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. અળસીના બીજનો ઉકાળો તૈયાર છે.

અળસીના બીજનો ઉકાળો વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

રોજ આ ઉકાળો પીવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવામાં મદદ મળે છે. ઉપરાંત, ફ્લેક્સસીડ્સમાં ઉચ્ચ ફાઇબર હોય છે જે તમારા શરીરને લાંબા સમય સુધી સક્રિય રાખે છે અને તમને વધુ સારી રીતે કસરત કરવામાં મદદ કરે છે.

ફ્લેક્સસીડ્સના ઉકાળામાં  હાજર ફાઇબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને તમને વધુ કેલરી લેતા અટકાવે છે.

ફ્લેક્સસીડ્સમાં અદ્રાવ્ય ફાઇબર પણ હોય છે અને તે આંતરડાના સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. આ મેટાબોલિક રેટને વધારે વેગ આપે છે.

આ બીજમાં ખાંડ અને સ્ટાર્ચ ઓછું હોય છે જે તેમને વજન ઘટાડવા માટે સંપૂર્ણ ખોરાક બનાવે છે. આઉકાળો પીવાથી તમે વધુ કેલરી મેળવી શકશો નહીં અને વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકશો.

ફ્લેક્સસીડ્સમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ શરીરની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સારું
જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો આ પીણાને તમારા દૈનિક આહારમાં ઉમેરવાથી ખૂબ ફાયદાકારક બની શકે છે. આ પીણું તમારા શરીરની બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તે લોહીમાં શર્કરાનું સ્તર જાળવે છે. આ પીણું પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે.

હાર્ટ બ્લોકેજ અટકાવે છે
ફ્લેક્સસીડ્સનો ઉકાળો નિયમિત પીવાથી ધમની બ્લોકેજ દૂર કરવામાં મદદ મળે છે. ફ્લેક્સસીડ્સમાં હાજર ઓમેગા 3 શરીરના ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.

પાચન માટે સારું
ફ્લેક્સસીડ્સમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે પાચન માટે ઉત્તમ છે. આ ઉકાળો પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, ઝાડા, અપચો વગેરે અટકાવે છે.

કેન્સર અટકાવે છે
ફ્લેક્સસીડ્સમાં ઓમેગા -3 હોય છે જે એસ્ટ્રોજનનું ઉત્પાદન ઘટાડે છે. જે સ્તન કેન્સર સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે. સ્તન અને પ્રોસ્ટેટમાં ગાંઠના વિકાસને રોકવા માટે ફ્લેક્સસીડનું સેવન ફાયદાકારક હોઈ શકે છે.

વાળ માટે પણ ફાયદાકારક
ફ્લેક્સસીડ્સ કડા ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારા વાળ માટે પણ ફાયદાકારક છે. વાળ ખરવા  જેવી વાળની ​​સમસ્યાઓથી પીડાતા લોકોએ દરરોજ આ ઉકાળો પીવો જોઈએ. તે વાળ ખરવાની સારવાર કરે છે અને વાળ ખરતા અટકાવે છે.

જો તમે આ ઉકાળો પીવા માંગતા નથી, તો તમે અન્ય રીતે તમારા આહારમાં ફ્લેક્સસીડ્સ ઉમેરી શકો છો. તમારા સૂપ, સલાડ અથવા રસોઈના બીજા સામાનમાં અળસીના બીજ ઉમેરવું પણ સારો વિકલ્પ હોઈ શકે છે.

આ પણ વાંચો: Health Tips : વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના ખાશો આ 5 વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક

આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં આ ફળો રાખવાની ભૂલ તો નથી કરતાને? જાણો શું છે નુકશાન!

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

 

Next Article