Mumps Outbreak : કોરોના બાદ ફેલાઇ રહ્યો છે આ વાયરસનો પ્રકોપ, બાળકોને બનાવી રહ્યો છે શિકાર, જાણો શું છે લક્ષણ

Mumps in Children : જો ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને ગાલપચોળિયાં થાય છે, તો તે ગર્ભાશયમાં રહેલા બાળક માટે જોખમી બની શકે છે. આ બાળકના મગજ, કિડની અને હૃદય જેવા અંગો પર નકારાત્મક અસર કરી શકે છે.

Mumps Outbreak : કોરોના બાદ ફેલાઇ રહ્યો છે આ વાયરસનો પ્રકોપ, બાળકોને બનાવી રહ્યો છે શિકાર, જાણો શું છે લક્ષણ
Mumps
| Edited By: | Updated on: May 01, 2024 | 3:30 PM

Mumps in Children: કોરોના ડર હળવો થયો છે. હવે વધુ એક વાયરસ તબાહી મચાવવા માટે તૈયાર છે અને તે ખાસ કરીને બાળકોને નિશાન બનાવી રહ્યો છે. આ રોગનું નામ છે ગાલપચોળિયાં, આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના ગાલ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે. કંઈપણ ખાવામાં કે ગળવામાં તકલીફ થાય છે. આ એક પ્રકારનો વાયરલ ચેપ છે, જે પેરામિક્સોવાયરસ (RNA) દ્વારા થાય છે. આમાં, પેરોટીડ (લાળ) ગ્રંથીઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેમને આ રોગનું સૌથી વધુ જોખમ રહેલું છે.

સામાન્ય રીતે 2-12 વર્ષના બાળકો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. જો કે આરોગ્ય નિષ્ણાતો તેને (ગાલપચોળિયાં) ગંભીર રોગ નથી માનતા, પરંતુ ક્યારેક તે ખતરનાક પણ બની શકે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ અંગે જાગૃત રહેવું જોઈએ. ચાલો જાણીએ કે ગાલપચોળિયાં શું છે? તેના લક્ષણો શું છે અને બાળકોને કેવી રીતે બચાવી શકાય?

ગાલપચોળિયાં કેવી રીતે ફેલાય છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, ગાલપચોળિયાં એ RNAએ વાયરસનો એક પ્રકાર છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિ જ્યારે ખાંસી, છીંક દ્વારા ફેલાઈ શકે છે , શાળાઓ અને ગાર્ડન કે ભીડ વાળા વિસ્તારમાં તેના ફેલાવાનું જોખમ વધારે છે. આ બીમારી ચેપ ચેપગ્રસ્ત લોકો સાથે ખોરાક ખાવાથી, પાણી અથવા વાસણોનું સેરીંગ કરવાથી પણ બાળકોમાં થઈ શકે છે.

ગાલપચોળિયાં કેટલા જોખમી છે?

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ગાલપચોળિયાં સામાન્ય રીતે વધુ નુકસાન પહોંચાડતા નથી. આ પણ બે થી ત્રણ અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જો કોઈને એક વાર ગાલપચોળિયાં થયી હોય તો તેને ફરીથી થવાનું જોખમ રહેતું નથી, પરંતુ એવું ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે જો પુખ્ત વયના લોકોને ગાલપચોળિયાં થઈ જાય તો પુરુષોના અંડકોષમાં સોજો આવી શકે છે. આના કારણે સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર થઈ શકે છે.

આ એટલા માટે છે કારણ કે તે પુરુષો અને સ્ત્રીઓના પ્રજનન અંગોને અસર કરે છે. પુરૂષોના શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે અને જો કોઈ સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન ગાલપચોળિયાં હોય તો તે ગર્ભમાં રહેલા બાળક માટે જોખમી બની શકે છે. આ બાળકના મગજ, કિડની અને હૃદય જેવા અંગો પર નકારાત્મક અસર કરી શકે છે. તેની સાંભળવાની ક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે.

બાળકો વધુ જોખમમાં છે

ગાલપચોળિયાં સામાન્ય રીતે 2 થી 12 વર્ષની વયના બાળકોને અસર કરે છે. આમાં એવા બાળકોનો સમાવેશ થાય છે જેમને રસી આપવામાં આવી નથી. જો કે, કિશોરો અને પુખ્ત વયના લોકોમાં પણ આ બિમારી થઇ શકે છે. આનું કારણ એ છે કે રસીની પ્રતિકાર શક્તિ થોડા વર્ષો પછી ઘટી જાય છે. ગાલપચોળિયાંના ચેપને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ રસીકરણ છે, જે ચેપના કિસ્સામાં ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

ગાલપચોળિયાંથી કેવી રીતે બચવું?

  1.  ગાલપચોળિયાંને રોકવાની શ્રેષ્ઠ વિકલ્પ છે રસી
  2. સ્વચ્છતાનું ધ્યાન રાખીને આનાથી બચી શકાય છે.
  3. જો ગાલપચોળિયાંના ચેપનો ડર હોય, તો ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરો.
  4. ભીડવાળી જગ્યાઓ પર જવાનું સંપૂર્ણપણે ટાળો.
  5. કોઈની સાથે હાથ મિલાવશો નહીં કે કોઈ સામાનને સ્પર્શશો નહીં.
  6. જ્યારે પણ તમે બહારથી ઘરે આવો ત્યારે તમારા હાથને સારી રીતે સાફ કરવાની ટેવ પાડો
  7. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કોઈપણ વાસણો શેર કરવાનું ટાળો.
  8. જો જરૂરી હોય તો, ચેપગ્રસ્ત વ્યક્તિને બે થી ત્રણ અઠવાડિયા માટે અલગ રાખો.
  9. બાળકને વારંવાર ચહેરા, નાક, આંખ કે મોંને સ્પર્શ કરવાની મનાઈ કરો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.