જો તમને કિડનીમાં પથરી હોય અને તમારા પેશાબમાં થોડી વાર લોહી દેખાય, તો શું આ ચિંતાનું કારણ છે? આવું શા માટે થાય છે અને તે કેટલું ખતરનાક છે? નિષ્ણાતો આ બાબતને કેવી રીતે જુએ છે તે જાણવું મહત્વપૂર્ણ છે. અમે તમને આ બાબતમાં નિષ્ણાંતનો અભિપ્રાય જણાવ્યો.
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના વડા ડૉ. હિમાંશુ વર્મા જણાવે છે કે પેશાબમાં લોહી દેખાવાની સ્થિતિને તબીબી રીતે હેમેટુરિયા કહેવામાં આવે છે, અને કિડની પથરી ધરાવતા દર્દીઓમાં આ સામાન્ય રીતે જોવા મળે છે.
યુરિનમાં લોહી કેમ આવે છે?
ડૉક્ટરનું કહેવું છે કે, જ્યારે કિડનીમાં પથરી શરીરમાંથી બહાર નીકળવા લાગે છે, ત્યારે તે પેશાબની નળીમાંથી પસાર થાય છે. આ સમયે પથરી નળીની દિવાલ સાથે ઘસાય છે, જેના કારણે નાની ઈજાઓ થાય છે. પરિણામે થોડી માત્રા માં લોહી પેશાબમાં જોવા મળે છે. ખાસ કરીને નાના પથ્થર (પાંચ મીમી કરતાં નાનાં) દવા દ્વારા સહજ રીતે બહાર નીકળી શકે છે. આ પ્રક્રિયામાં થોડી લોહી આવવું સામાન્ય માનવામાં આવે છે.
લક્ષણોને સામાન્ય ગણવું યોગ્ય નહીં
જોકે, દરેક સમયે આ લક્ષણને સામાન્ય માનવું યોગ્ય નથી. જો વારંવાર પેશાબમાં લોહી આવે, અથવા તેના સાથે દુખાવો, તાવ કે બળતરા થાય, તો તે કિડનીના ચેપ અથવા અન્ય ગંભીર સમસ્યાનું સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. નિદાન માટે યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ જેવી તપાસો કરવામાં આવે છે.
ડૉ. હિમાંશુ વધુમાં કહે છે કે બધી કિડની પથરી પેશાબ મારફતે બહાર નીકળતી નથી. પથરીનો કદ અને સ્થાન મહત્વપૂર્ણ હોય છે. મોટી પથરી હોય તો તેને દૂર કરવા માટે સર્જરી અથવા અન્ય તબીબી પ્રક્રિયા જરૂરી પડી શકે છે.
આથી, પેશાબમાં લોહી આવવું ક્યારેક સામાન્ય પ્રક્રિયા હોઈ શકે છે, પણ તેને અવગણવું યોગ્ય નથી. યોગ્ય નિદાન અને સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો હંમેશા સલામત રહે છે.
આ પણ વાંચો- Breaking News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો ખૂબ મોટો નિર્ણય,આ દવાઓ પર લગાવી દીધો 100% ટેરિફ