Health : શરદી ખાંસીમાં પણ આ ફળોનું સેવન કરવાથી મળશે રાહત

|

Jan 26, 2022 | 4:30 PM

ઘણીવાર કેટલાક લોકો ખાંસી આવે ત્યારે કેળા ખાવાનું બંધ કરી દે છે. તેમને લાગે છે કે કેળા ખાવાથી શરદી અને ખાંસી વધી જશે. પણ એવું થતું નથી. ખાંસીમાં પણ કેળું ખાઈ શકો છો

Health : શરદી ખાંસીમાં પણ આ ફળોનું સેવન કરવાથી મળશે રાહત
Fruits for relief of cold (Symbolic Image )

Follow us on

કેટલાક લોકો ખાંસી (Cough )  હોય ત્યારે ફળો ખાવાનું બંધ કરી દે છે, ખાસ કરીને ખાટાં ફળો, જ્યારે નિષ્ણાતો કહે છે કે ખાંસીમાં ખાટાં ફળોનું (Fruits )  સેવન ફાયદાકારક છે. જો તમને સમજાતું ન હોય કે કફની સ્થિતિમાં ક્યા ફળનું સેવન કરવું જોઈએ અને કયા નહીં, તો અહીં જાણો

શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ઉધરસથી પરેશાન રહે છે અને જો ખોરાક યોગ્ય ન હોય તો કફની સમસ્યા વધુ વધી જાય છે. કેટલાક લોકો ગમે ત્યારે કંઈ પણ ખાઈ લે છે, જેના કારણે શરદી-ખાંસી, કફ વધુ વધે છે. કેટલાક લોકો એવા પણ છે જેઓ ફળો, ખાસ કરીને ખાટાં ફળોનું સેવન કરવાનું બંધ કરી દે છે, જ્યારે નિષ્ણાતો કહે છે કે શરદી અને ઉધરસમાં કેટલાક ખાટાં ફળોનું સેવન કરવું ફાયદાકારક છે. જો તમને સમજાતું ન હોય કે કફમાં ક્યા ફળ ખાવા જોઈએ અને ક્યા ન ખાવા જોઈએ તો અહીં જાણો.

શરદી અને ઉધરસની સ્થિતિમાં ખાટાં ફળો ખાવા જોઈએ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો તમને ખાંસી અને શરદી હોય તો લીંબુ, નારંગી, કીવી વગેરે જેવા ખાટાં ફળો ચોક્કસ ખાઓ. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, સાથે જ ઉધરસ મટાડે છે. કોઈપણ પ્રકારની એલર્જીના કારણે ઉધરસ હોય તો પણ ખાટાં ફળ ખાવાથી ફાયદો થાય છે.

ઉધરસમાં કીવી અવશ્ય ખાવી

કીવી વિટામિન સી, કે, ઇ, ફોલેટ, પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. આ સાથે તે એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે. કીવી ખાવાથી અસ્થમા, પાચન, બ્લડ પ્રેશર, લોહી ગંઠાઈ જવા, દ્રષ્ટિની ક્ષતિ જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. આ સાથે ખાંસી અને શરદીમાં પણ કીવી ખાવાથી ફાયદો થાય છે. તમે તેને સ્મૂધીમાં, ફ્રૂટ સલાડમાં ખાઈ શકો છો અથવા તેને આ રીતે કાપી શકો છો.

ખાંસીમાં બ્લૂબેરી પુષ્કળ ખાઓ

બ્લૂબેરીમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વો, ખનિજો, વિટામિન સી, કે, મેંગેનીઝ, ફાઈબર પણ હોય છે. ખાંસી આવે ત્યારે બ્લૂબેરી ખાવાથી કોઈ નુકસાન નથી. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર આ ફળ કફની સમસ્યાને ઓછી કરી શકે છે. બ્લૂબેરીમાં ઓછી કેલરી હોવાને કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સાથે બ્લડપ્રેશર, હૃદય રોગથી બચાવે છે. તેમાં કેટલાક એન્ટિ-ડાયાબિટીક ઘટકો પણ હોય છે અને અન્ય ફળોની તુલનામાં તેમાં ખાંડ ઓછી હોય છે.

ખાંસીમાં પણ કેળા ખાવાથી ફાયદો થાય છે

ઘણીવાર કેટલાક લોકો ખાંસી આવે ત્યારે કેળા ખાવાનું બંધ કરી દે છે. તેમને લાગે છે કે કેળા ખાવાથી શરદી અને ખાંસી વધી જશે. પણ એવું થતું નથી. ખાંસીમાં પણ કેળું ખાઈ શકો છો. હા, રાત્રે કેળા ખાવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન કેળા ખાવા યોગ્ય છે. આ સાથે તમે ખાંસીમાં પાઈનેપલ, પપૈયુ, સંતરા, કેરી, જામફળ, મોસમી, તરબૂચ, દ્રાક્ષ, નાસપતી વગેરે ફળોનું સેવન પણ કરી શકો છો.

Health: પેશાબમાં બળતરા થવા પાછળ આ કારણ હોય શકે છે જવાબદાર, છુટકારો મેળવવા કરો આ ઉપાય

 Health: ઓછું પાણી પીવા છતાં વારે વારે જવું પડે છે વોશ રૂમ? જાણો કારણો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

Next Article