Health : બ્લડ સુગર અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા તુલસીના પાન થશે મદદરૂપ

|

Nov 02, 2021 | 1:31 PM

આયુર્વેદમાં, તુલસીને હાઈ બ્લડ સુગર લેવલ ઘટાડવા માટેની દવા તરીકે ઓળખવામાં આવે છે. તેના સેવનથી હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક અને કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. ડાયાબિટીસના દર્દીઓના બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Health : બ્લડ સુગર અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા તુલસીના પાન થશે મદદરૂપ
Basil Leaves

Follow us on

તુલસી(Tulsi ) એક એવો છોડ છે જે દરેક ઘરના આંગણામાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં(Indian Culture ) તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં આ છોડ આરોગ્યની રીતે પણ તેટલું જ ગુણકારી માનવામાં આવે છે. આ છોડ અનેક નાની મોટી બીમારીઓમાં અસરકારક રીતે કામ કરે છે. અમે તમને જણાવીએ તુલસીના પણ ખાવાના કેટલાક ફાયદાઓ. 

તુલસીના પાન અને તેમાંથી બનાવેલ ઉકાળો શરદી-ખાંસી અને મોસમી તાવમાં ઉપયોગમાં લેવાતો સૌથી સરળ અને લોકપ્રિય ઉપાય છે. તુલસીનું સેવન અનેક રોગો અને નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તેથી જ ભારતીય ઘરોમાં તુલસીના છોડને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને દરેક ભારતીય પરિવાર પાસે પોતાનો એક તુલસીનો છોડ છે. હવે ફાયદાકારક અને ઉપચારાત્મક તુલસીના છોડ વિશે એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલાક અભ્યાસો અનુસાર, તુલસીના પાન બ્લડ શુગર લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

બ્લડ સુગર લેવલ ઘટાડવા તુલસી ફાયદાકારક : 
નોંધપાત્ર રીતે, આયુર્વેદમાં, તુલસીને હાઈ બ્લડ સુગર લેવલ ઘટાડવા માટેની દવા તરીકે ઓળખવામાં આવે છે. તે જ સમયે, તેના સેવનથી હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક અને કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. તુલસીના પાન ચાવવા અને તેને દૂધ સાથે ખાવાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તુલસી લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવાનું કામ કરે છે. આ ઉંદરોને તુલસીનો અર્ક 30 દિવસ સુધી સતત આપવામાં આવ્યો, 29 દિવસ પછી 30માં દિવસે સંશોધકોને ઉંદરના બ્લડ ગ્લુકોઝના સ્તરમાં 26.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તુલસી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે
આવા જ અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકો માટે તુલસીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અન્ય એક સંશોધન મુજબ એવું જાણવા મળ્યું છે કે તુલસી ટાઈપ 2 ડાયાબિટીસ સામે પણ મદદરૂપ છે. આ દાવો પ્રાણીઓ અને મનુષ્યો પર કરવામાં આવેલા સંશોધનના પરિણામોના આધારે કરવામાં આવ્યો છે. સંશોધનમાં સામે આવ્યું છે કે તુલસીનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Mental Health Tips: મનની ગંદકીને દૂર કરવા દિનચર્યામાં સામેલ કરો આ બે મિનિટની કસરત

આ પણ વાંચો : Men Health : ફક્ત મહિલાઓ માટે જ નહીં પુરુષો માટે પણ અળસીના બીજ અને તેલ છે ગુણકારી

Published On - 11:21 am, Tue, 2 November 21

Next Article