
આજના સમયમાં ગેસ, અપચો અને પેટમાં ભારેપણું એ સામાન્ય વાત બની ગઈ છે. આપણે મોટાભાગે તેને ખરાબ ખાનપાનનું પરિણામ માનીને અવગણીએ છીએ, પરંતુ આ નાનકડી ભૂલ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, વારંવાર થતો ગેસ અને પેટનો દુખાવો એ આંતરડામાં રહેલા ‘કૃમિ’ (Worms) નું મુખ્ય લક્ષણ હોઈ શકે છે.
એક મોટી ગેરસમજ એ છે કે પેટમાં કૃમિ માત્ર બાળકોને જ થાય છે. વાસ્તવમાં, અસ્વચ્છ પાણી અને દૂષિત ખોરાકને કારણે પુખ્ત વયના લોકો પણ આ આંતરડાના પરોપજીવીઓનો શિકાર બને છે. આ કૃમિ તમારા શરીરના જરૂરી પોષક તત્વો ખાઈ જાય છે, જેના કારણે લોહીની ઉણપ (એનિમિયા) અને નબળાઈ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
જો તમારા શરીરમાં નીચે મુજબના ફેરફારો દેખાય, તો સતર્ક થઈ જવું જોઈએ:
આ પરોપજીવીઓ તમારા શરીરમાં મુખ્યત્વે દૂષિત પાણી, ધોયા વગરના ફળો-શાકભાજી અને જમતા પહેલા હાથ ન ધોવાની આદતને કારણે પ્રવેશે છે. ખુલ્લામાં મળત્યાગ કે અસ્વચ્છ વિસ્તારોમાં રહેવાથી પણ કૃમિના ઇંડા શરીરમાં જવાની શક્યતા વધી જાય છે.
પેટના કૃમિથી બચવા માટે ‘ડિ-વર્મિંગ’ (કૃમિનાશક દવા) સૌથી અસરકારક રસ્તો છે. ડોક્ટરોની સલાહ મુજબ દર છ મહિને કૃમિનાશક દવા લેવી જોઈએ. આ ઉપરાંત, હંમેશા ગાળેલું કે ઉકાળેલું પાણી પીવું અને વ્યક્તિગત સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જાગૃતિ એ જ શ્રેષ્ઠ સારવાર છે. જો લક્ષણો લાંબા સમય સુધી જણાય, તો તુરંત ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.