
સાંધાના દુખાવામાં ફાયદાકારકઃ અળસીમાં સંધિવા (Arthritis) વિરોધી ગુણ હોય છે. સંધિવાના દર્દીઓને રોજ અળસીના બીજનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. તમે દરરોજ શેકેલા અળસીના બીજ ખાઈ શકો છો અથવા તેને પીસીને દૂધ સાથે ખાઈ શકો છો. આ સિવાય શિયાળામાં અળસીના લાડુ પણ ખાઈ શકાય છે.

હોર્મોનલ સમસ્યાઓ દૂર થાય છેઃ એવું કહેવાય છે કે જે મહિલાઓ નિયમિતપણે અળસીનું સેવન કરે છે. તેમને પીરિયડ્સમાં પરેશાનીનો સામનો કરવો પડતો નથી. અળસીના બીજને હોર્મોન અસંતુલનની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.