
મહિલાઓના પીરિયડ્સમાં વિલંબ થવાના ઘણા કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે માસિક ચક્ર 21થી 35 દિવસનું હોય છે. જો કે, બધી સ્ત્રીઓનું માસિક ચક્ર અલગ અલગ હોઈ શકે છે. કેટલીક સ્ત્રીઓને 28 દિવસ પછી અને કેટલીકને 30 દિવસ પછી માસિક આવી શકે છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે જો તમારી સાઈકલ 28 દિવસની છે, પરંતુ તમને એક-બે દિવસ પછી માસિક સ્રાવ આવે છે તો તમે તેને લેટ પીરિયડ્સ માની શકો છો.
બીજી તરફ, જો તમને 40 દિવસ સુધી પીરિયડ્સ ન આવે, તો તમે તેને ચૂકી ગયા છો તેમ માની શકાય. આ લેખ દ્વારા અમે તમને પીરિયડ્સ લેટ આવવા અથવા પીરિયડ્સમાં સમસ્યાના કારણ વિશે જણાવીશું.
તણાવને કારણે પીરિયડ્સમાં વિલંબ પણ થઈ શકે છે. જ્યારે તમે વધુ સ્ટ્રેસ લો છો, ત્યારે તેનાથી શરીરની સિસ્ટમને સંતુલિત કરતા હોર્મોન્સમાં વધારો થાય છે. જેના કારણે રિપ્રોડક્ટિવ હોર્મોન્સમાં સમસ્યા થાય છે. એટલા માટે વધારે તણાવ ન લો.
સામાન્ય કરતાં વધુ વજન વધવાને કારણે તમારું માસિક ચક્ર પ્રભાવિત થઈ શકે છે. શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી અને હોર્મોન્સ બગડવાને કારણે પીરિયડ્સ મિસ થઈ શકે છે. આથી સ્વાસ્થ્ય સારુ રહે તે માટે કસરત કરો, વજન કંટ્રોલમાં રાખો, જેથી પીરિયડ્સ અંગે સમસ્યા ન રહે.
પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એટલે કે PCOS ને કારણે પણ પીરિયડ્સમાં સમસ્યા આવી શકે છે. આજકાલ આ સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. PCOS કે PCODમાં ઓવરીમાં સીસ્ટ બને છે, જેને કારણે પીરિયડ્સ અનિયમીત બને છે, આમાં વાળ કરવા, ખીલ થવા જેવી સમસ્યા આવે છે.
ઘણા કિસ્સાઓમાં ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવા રોગોમાં વધારો થવાને કારણે પીરિયડ્સમાં વિલંબ પણ થાય છે. જ્યારે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધે છે, ત્યારે ઘણા ફેરફારો થાય છે, જેના કારણે પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ઘણી સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓનું વધુ સેવન કરે છે, જે પીરિયડ્સમાં વિલંબ થવાનું કારણ હોઈ શકે છે. ડૉક્ટરની સલાહ વિના આ ગોળી ન લેવી જોઈએ.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)