દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ, વધુ મીઠું ખાવાથી શું શું નુકસાન થઈ શકે છે જાણો

Salk Intake: ઉનાળાની ઋતુમાં હીટ વેવ અને વધુ મીઠું ખાવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ.

દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ, વધુ મીઠું ખાવાથી શું શું નુકસાન થઈ શકે છે જાણો
| Edited By: | Updated on: May 24, 2023 | 11:04 AM

ભોજનનો સ્વાદ વધારવાની સાથે મીઠું આપણને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ વધુ પડતું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઉનાળાની ઋતુમાં વધુ મીઠું ખાવાથી ડીહાઈડ્રેશનનો ખતરો પણ હોઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે મીઠાનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ.આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?

બજારમાં મળતા પીઝા-બર્ગર કે પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. વધુ મીઠું ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. આવો જાણીએ દિવસ દરમિયાન કેટલું મીઠું ખાવું જોઈએ.

દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, વ્યક્તિએ દરરોજ માત્ર 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. આનાથી વધુ મીઠું ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો ખતરો વધી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ અનેક હાઈ ઈન્કમ ધરાવતા દેશોમાં ખોરાકમાં લગભગ 75 ટકા મીઠું પ્રોસેસ્ડ ફૂડ અને બહાર તૈયાર કરેલા ખોરાકમાંથી આવે છે.

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: ચુનો અમૃત છે કારણ કે તે 70 રોગને મટાડે છે, રાજીવ દીક્ષિતે જણાવ્યા અગણિત ફાયદા

વધુ પડતું મીઠું ખાવાના ગેરફાયદા

WHOના જણાવ્યા અનુસાર વધુ મીઠું ખાવાથી તમારા શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ તેમના વિશે

હૃદય માટે હાનિકારક : દરરોજ 5 ગ્રામથી વધુ મીઠું ખાવાથી તમારા હૃદયને નુકસાન થઈ શકે છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે.

પાચનને લગતી સમસ્યાઓ : આ સિવાય વધુ માત્રામાં મીઠું ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, કોઈપણ સંજોગોમાં તમારા મીઠાનું સેવન ઓછું કરો.

કિડનીની સમસ્યાઓ : મીઠું તમારી કિડની માટે પણ સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ મીઠું ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધવા લાગે છે, જેની અસર તમારી કિડની પર થવા લાગે છે. જેના કારણે કિડની સ્ટોન થઈ શકે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)